SearchBrowseAboutContactDonate
Page Preview
Page 847
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન માળા (૨૯) આટલું તો આપજે ભગવન્ (રાગ-વાગેશ્રી) આટલું તો આપજે ભગવન્ ! મને છેલ્લી ઘડી; ના રહે માયા તણાં બંધન, મને છેલ્લી ઘડી. (ટેક) આ જિંદગી મોઘી મળી, પણ જીવનમાં જાગ્યો નહિ; અંત સમય મને રહે, સાચી સમજ છેલ્લી ઘડી. આટલું. જ્યારે મરણશય્યા પરે, મીંચાય છેલ્લી આંખડી; તું આપજે ત્યારે પ્રભુમય મન, મને છેલ્લી ઘડી. આટલું. હાથ પગ નિર્બળ બને ને શ્વાસ છેલ્લો સંચરે; ઓ દયાળુ ! આપજે દરશન મને છેલ્લી ઘડી. આટલું. હું જીવનભર સળગી રહ્યો, સંસારના સંતાપમાં; તું આપજે શાંતિભરી જાગૃતતા છેલ્લી ઘડી. આટલું. અગણિત પાપો મેં કર્યાં તન-મન-વચન યોગે કરી; હે ક્ષમાસાગર ! ક્ષમા મને આપજે છેલ્લી ઘડી. આટલું. અંતસમયે આવી મુજને ના ક્રમે ઘટ દુશ્મનો; જાગ્રતપણે મનમાં રહે તારૂં સ્મરણ છેલ્લી ઘડી. આટલું. (૩૦) મારા મરણ વખતે બધી મારા મરણ વખતે બધી, મિલકત અહીં પધરાવો, મારી નનામી, એજ, કબ્રસ્તાન માંહે લાવજો; જે બાહુબળથી મેળવ્યું, તે ભોગવી પણ ના શક્યો, અબજોની દોલત આપતાં પણ, આ સિકંદર ના બચ્ચો. રાગનાં ત્યાગ વિના અંતરની આગ નહિ ઓલવાય. ૬૧૧
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy