________________
સ્તવન માળા
(૨૯)
આટલું તો આપજે ભગવન્ (રાગ-વાગેશ્રી)
આટલું તો આપજે ભગવન્ ! મને છેલ્લી ઘડી; ના રહે માયા તણાં બંધન, મને છેલ્લી ઘડી. (ટેક)
આ જિંદગી મોઘી મળી, પણ જીવનમાં જાગ્યો નહિ; અંત સમય મને રહે, સાચી સમજ છેલ્લી ઘડી. આટલું. જ્યારે મરણશય્યા પરે, મીંચાય છેલ્લી આંખડી;
તું આપજે ત્યારે પ્રભુમય મન, મને છેલ્લી ઘડી. આટલું. હાથ પગ નિર્બળ બને ને શ્વાસ છેલ્લો સંચરે; ઓ દયાળુ ! આપજે દરશન મને છેલ્લી ઘડી. આટલું. હું જીવનભર સળગી રહ્યો, સંસારના સંતાપમાં; તું આપજે શાંતિભરી જાગૃતતા છેલ્લી ઘડી. આટલું. અગણિત પાપો મેં કર્યાં તન-મન-વચન યોગે કરી; હે ક્ષમાસાગર ! ક્ષમા મને આપજે છેલ્લી ઘડી. આટલું. અંતસમયે આવી મુજને ના ક્રમે ઘટ દુશ્મનો; જાગ્રતપણે મનમાં રહે તારૂં સ્મરણ છેલ્લી ઘડી. આટલું.
(૩૦)
મારા મરણ વખતે બધી
મારા મરણ વખતે બધી, મિલકત અહીં પધરાવો, મારી નનામી, એજ, કબ્રસ્તાન માંહે લાવજો; જે બાહુબળથી મેળવ્યું, તે ભોગવી પણ ના શક્યો, અબજોની દોલત આપતાં પણ, આ સિકંદર ના બચ્ચો.
રાગનાં ત્યાગ વિના અંતરની આગ નહિ ઓલવાય.
૬૧૧