________________
સ્તવન માળા
રાજપાટથી પરવારીને વાટ લીધી જંગલની અંગે અંગે ભરી ભાવના દુનિયાના મંગલની નારીને એણે વિસારી...તજિયા સૌ સંસારી ... જોગી થઈને જાય. વનવગડાના ઘોર ભયંકર એણે મારગ વંધ્યા હસતે મુખડે કષ્ટ સહીને એણે વિષડાં પીધાં અન્ન અને જળ ત્યાગી... એ તો મુક્તિનો અનુરાગી જોગી થઈને જાય.
ચંદનબાળા ચંડકોશિયા સહુને લીધા ઉગારી જીવો અને જીવવા દો મંત્ર રહ્યા લલકારી સતનું સંગીત ગાયું એણે... પ્રેમનું અમૃત પાયું જોગી થઈને જાય.
(૨૧)
આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, મનને મહેતાજી કરી કામે લગાડજો... આ૦
આજ સુધી જીવ્યા તમે કેટલું ને કેવું, કેટલી કમાણી કરી કેટલું છે દેવું, કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો... કેટલાં સત્કો કર્યાં કેટલી લબાડી, કયા પાટે ચાલી રહી, જિંદગીની ગાડી, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો... આ
જમા ને ઉધારનો કાઢો તફાવત,
1
કેટલી પ્રભુના નામે કરી છે. બનાવટ,
એક એક પાનું ચિંતનથી ચકાસો...
આ
આ
૬૦૫
6.
આરંભ અને પરિગ્રહ દુર્ગતિનાં દરવાજા છે. આ સત્યને જે સમજે, એજ ધનનો સદુપયોગ કરી શકે.