SearchBrowseAboutContactDonate
Page Preview
Page 808
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯૨ રત્નત્રયી ઉપાસના પરણ્યા વિના તો કેમ ચાલે ? કરી લટકો ઘરમાં કોણ હાલે ? ચુલો ફેંકશો પાણીને ગાળશો, વેલા મોડા તો ભોજન - કરશો. ૨૨ બારણે જાશો અટકાવી તાળું, આવી અસુરા - કરશો વાળું; દીવાબત્તીને કોણ જ કરશે ? લીપ્યા વિના તો ઉઝેડા વળશે. ૨૩ વાસણ ઉપર તો નહિ - આવે તેજ, કોણ પાથરશે તમારી સેજ, પ્રભાતે લૂખો ખાખરો ખાશો. દેવતા લેવા સાંજરે જાશો. ૨૪ મનની વાતો કોણે કહેવાશે ? તે દિન નારીનો ઓરતો થાશે; પરોણા આવીને પાછા જે જાશે, દેશ વિદેશ વાતો બહુ થાશે. ૨૫ મોટાના છોરૂં નાનેથી વરિયા, મારૂં કહ્યું તો માનો દેવરીયા, ત્યારે સત્યભામા બોલ્યા ત્યાં વાણ, સાંભલો નેમ ચતુર સુજાણ. ર૬ ભાભીનો ભરોસો નાશીને જાશે, પરણ્યા વિના કોણ પોતાની થાશે; પહેરી ઓઢીને આંગણે ફરશે, ઝાઝા વાનાં તો તમને કરશે. ર૭ - ઉચાં મન ભાભી કેરાં કેમ રહેશો? સુખદુઃખની વાત કોણ આગળ કહેશો ? માટે પરણોને પાતળીયા રાણી, હું તો નહિ આપું નાવાનું પાણી. ૨૮ વાંઢા દેવરને વિશ્વાસે રહીએ, સગાવ્હાલામાં હલકા જ થઈએ; પરણ્યા વિના તો – સુખ કેમ થાશે ? સગાના ઘેર ગાવા કોણ જાશે. ર૯ ગણેશ વધાવા કોને મોકલશો ? તમે જાશો તો - શી રીતે કરશો; દેરાણી કેરા પાડ જાણીશું, છોરૂં - થાશે તો વિવાહ માણીશું. ૩૦ માટે દેવરીયા દેરાણી લાવો, અમ ઉપર નથી તમારો દાવો; ત્યારે રાધિકા - આઘેરે આવી, બોલ્યા વચન તો મોઢું મલકાવી. ૩૧ શી શી વાતો રે કરો છો સખી ? નારી પરણાવાની રમત નથી; કાયર પુરૂષનું નથી એ કામ, વાવરવા - જોઈએ જાઝેરા દામ. ૩૨ ઝાંઝર નેપુર ને ઝીણી - જવાળા, અણઘટ વીંછીઆ ઘાટે રૂપાલા; પગપાને ઝાંઝી ઘુઘરીઓ જોઈએ, મ્હોટી સાંકળે ઘુઘરા જોઈએ. ૩૩ સોના ચુડલો ગજરીના ઘાટ, છલ્લાં અંગૂઠી અરીસા ઠાઠ; ઘુઘરી પહોંચી ને વાંક સોનેરી, ચંદન-ચૂંદડીની શોભા ભલેરી. ૩૪ ગુણી કુટુંબ તે સુખી કુટુંબ, નહિ કે નાનું કુટુંબ તે સુખી કુટુંબ.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy