________________
શ્રી મ.ભ.ના ૨૭ ભવનું સ્તવન
૨
uso
એકદિન તનુ રોગે વ્યાપે, કોઈ સાધુ પાણી ન આપે; ત્યારે વંછે ચેલો એક, તવ મળિયો કપિલ અવિવેક. ૯ દેશના સુણી દીક્ષા વાસે, કહે મરીચિ લીયો પ્રભુ પાસે; રાજપુત્ર કહે તુમ પાસે, લેશું અમે દીક્ષા ઉલ્લાસે. ૧૦ તુમ દરશને ધરમનો વહેમ, સુણી ચિંતે મરીચિ એમ; ' મુજ યોગ્ય મળ્યો એ ચેલો, મૂળ કડવે કડવો વેલો. ૧૧ મરિચિ કહે ધર્મ ઉભયમાં, લીયે દીક્ષા યૌવન વયમાં; એણે વચને વધ્યો સંસાર, એ ત્રીજો કહ્યો અવતાર. ૧૨ લાખ ચૌરાશી પૂરવ આય, પાળી પંચમે સ્વર્ગ સધાય; દશ સાગર જીવિત ત્યાંહી, શુભવીર સદા સુખમાંહી. ૧૩
ઢાળ ૩ જી. * (અચકો મચકો કારેલી) પાંચમે ભવ કોલ્લાગ સન્નિવેશ, કૌશિક નામે બ્રાહ્મણ વેષ; એશી લાખ પૂરવ અનુસરી, ત્રિદંડીયાને વેષે મરી. ૧ કાલ બહુ ભમીયો સંસાર, ધૃણાપુરી છઠો અવતાર; બહોંતેર લાખ પૂરવને આય, વિપ્ર ત્રિદંડી વેષ ધરાય. ૨ સૌધર્મ મધ્ય સ્થિતિએ થયો, આઠમે ચૈત્ય સન્નિવેશે ગયો; અગ્નિજ્યોત દ્વિજ ત્રિદંડીઓ, પૂર્વ આયુ લાખ સાઠે મુઓ. ૩ મધ્યસ્થિતિએ સુર સ્વર્ગ ઈશાન, દશમે મંદિરપુર જિઠાણ, લાખ છપ્પન પૂરવા પૂરી, અગ્નિભૂતિ ત્રિદંડીક મરી. ૪ ત્રીજે સ્વર્ગે મધ્યાયુ ધરી, બારમે ભવે શ્વેતાંબીપુરી; પૂરવ લાખ ચુમ્માનીશ આય, ભારજ ત્રિદંડીક થાય. ૫ તેરમે ચોથે સ્વર્ગે રમી, કાળ ઘણો સંસારે ભમી; ચઉદને ભવે રાજગૃહી જાય, ચોત્રીસ લાખ પૂરવનું આય. ૬ થાવર વિપ્ર ત્રિદંડી થયો, પાંચમે સ્વર્ગે મરીને ગયો; સોળમે ભવ કોડ વર્ષનું આય, રાજકુમાર વિશ્વભુતિ થાય. ૭
ન,
જો શિક્ષક મા બને અને મા શિક્ષક બને તો બાળસંસ્કરણ અપૂર્વ બની જાય.