SearchBrowseAboutContactDonate
Page Preview
Page 794
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૮ રત્નત્રયી ઉપાસના કિંપાકફલ જેવું છે. શરૂઆતમાં શરીર જકડાવે પછી મૃત્યુ, અંતે નરકનાં જાલિમ દુઃખો હે પ્રભુ ! મધના ટીપાની ઈચ્છામાં (મામાં) હું નરકનાં દુ:ખો પણ ભૂલી ગયો. શું થશે મારૂં ! મારા અંતરમાં સુંદર ભોગને મેં અધર્મે ચિંતવ્યા, પરંતુ રોગની ખાણ તરીકે તેની મેં ચિંતવના ન કરી. ધનપ્રાપ્તિનો મેં વિચાર કર્યો, પરંતુ તે મૃત્યુને બોલાવવા જેવું છે તે ભૂલી ગયો. સ્ત્રીઓનો ઊહાપોહ તે કર્યો, પરંતુ તે નરકનું બંદીખાનું છે તેવું ભાન અધમ એવા મને કદી પણ ન થયું. મારા જન્મની નિષ્ફળતા હું શુદ્ધ આચારો વડે સાધુ હૃદયમાં નવ રહ્યો, કરી કામ પર ઉપકારના યશ, પણ ઉપાર્જન નવ કર્યો; વળી તીર્થનાં ઉદ્ધાર આદિ કોઈ કાર્યો નવ કર્યા, ફોગટ અરે આ લક્ષ ચોરાશી તણા ફેરા ફર્યા. ॥૨૧॥ હે શુદ્ધચારિત્રસંપન્ન પરમાત્મા ! સંયમના આચારપાલનમાં એટલા તો લોચા માર્યા કે જેથી અન્યને મારી નિંદા કરવાનું મન થઈ ગયું. × બીજાનું કામ તો ઘણું કર્યું, પણ બોલીને બગાડી દીધું. ભાઈ ! આ તો હું હતો એટલે તું બચી ગયો નહિંતર રોળાઈ–રોળાઈને મરી જાત. હું આવું બોલ્યો એટલે ચારે બાજુ મારો અપયશ લોકોએ ફેલાવ્યો. * ક્રોડોની સંપત્તિ ભેગી કરી પણ કોઈજ તીર્થનો જિર્ણોદ્ધાર કરવાનું મને મન ન થયું. ખરેખર હું ઘાંચીના બળદની જેમ ચોર્યાશીના ચક્કરમાં ફર્યા જ કર્યો, જરાય પ્રગતિ જ નહિ. જે છૂટવા અમા માટે જ જીવે છે તે બંધનમાં આવતો નથી.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy