SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રત્નાકર પચ્ચીસી સારા વર્તનથી ઉત્તમ પુરુષના હૃદયમાં મેં સ્થાન ન મેળવ્યું, બીજાનું ભલું કરી મેં કીર્તિ પણ પ્રાપ્ત ન કરી, તીર્થોદ્ઘોરાદિક કાર્યો પણ મે ન કર્યાં, આમ મારો જન્મ મેં વ્યર્થ ગુમાવ્યો !! સંસારસમુદ્રનો પાર ઊતરવા માટે સાધનનો અભાવ ગુરુવાણીમાં વૈરાગ્ય કેરો રંગ લાગ્યો નહિ અને, દુર્જનતણા વાક્યો મહીં શાંતિ મળે ક્યાંથી મને; તરું કેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહિ જરી, તૂટેલ તળિયાનો ઘડો જળથી ભરાયે કેમ કરી ? ॥૨૨॥ ૫૫૯ તારક ગુરૂભગવંતોના વચન સાંભળીને વૈરાગ્યનો રંગ તો આત્મવસ્ત્ર પર ન જ જામ્યો પરંતુ દુર્જનની વાતો સાંભળી-સાંભળીને રાગનો રંગ ચોલમ જેવો લાગી ગયો. હે પ્રભુ ! હવે મને શાંતિ ક્યાંથી મળે ? ઘડો નીચેથી જ તુટેલો હોય તો અંદર પાણી કે કઈ રીતે ? ગુરુમહારાજનાં વચનથી મારા મનમાં વૈરાગ્યનો રંગ જાગ્યો નહિ, તેમ દુર્જનનાં વાક્યો સાંભળી હું શાંતિ રાખી શક્યો નહિ. હે દેવ! અધ્યાત્મજ્ઞાન જેવું તો મારામાં જરા પણ છે જ નહિ, ત્યારે આ સંસારસમુદ્ર મારાથી કેવી રીતે તરી શકાશે ? હે પ્રભુ ! જ્યાં સુધી આત્મવસ્ત્ર પર વૈરાગ્યનો રંગ ને જામે ત્યાં સુધી દુર્જનનાં વાક્યો સાંભળી સમભાવ શી રીતે પ્રાપ્ત થાય ? ભૂત, વર્તમાન તથા ભવિષ્ય ત્રણે જન્મ હું તો હાર્યો !! મેં પરભવે નથી પુણ્ય કીધું ને નથી કરતો હજી, તો આવતા ભવમાં કહો ક્યાંથી થશે હે નાથજી; ભૂતભાવીને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયો, સ્વામી ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો. ।૨૩। bd જીવને બે મોટા બંધન છે. • એક સ્વછંદ, અને બીજું પ્રતિબંધ.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy