SearchBrowseAboutContactDonate
Page Preview
Page 789
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રત્નાકર પચ્ચીસી દર્શનને છોડી મન ગયું સ્ત્રીઓના શણગાર જોવામાં. કામદેવનાં બાણ મારા ઉપર ધડાધડ છૂટવા લાગ્યાં. હું એનાથી વિંધાઈ ગયો. હે કામવિજેતા ! હવે હું જલ્દીથી તારા દર્શનમાં લીન બની પરમઆનંદને પામું એ જ અંતરની ભાવના છે. એ ભાવના પૂરી કરીશ ને ? ૫૫૩ દૃષ્ટિગોચર થયેલા આપને છોડીને મૂઢ બુદ્ધિવાળા મેં અંતરમાં સુંદર આંખોવાળી સ્ત્રીઓના કટાક્ષ સ્તન, નાભિ તથા કટીતટનું જ ધ્યાન ધર્યું. સ્ત્રીમુખ દર્શનથી ઉત્પન્ન થયેલ રાગની તીવ્રતા મૃગનયણી સમ નારી તણા મુખ ચંદ્ર ને નીરખાવતી, મુજ મન વિષે જે રંગ લાગ્યો અલ્પપણ ગૂઢો અતિ; તે શ્રુતરૂપ સમુદ્રમાં ધોયા છતાં જાતો નથી, તેનું કહો કારણ તમે બધું કેમ હું આ પાપથી ? 119811 હે સકલ જીવસૃષ્ટિ પ્રતિ પ્રેમના સિન્ધુ ! ચોલમજીઠના રંગ જેવો થઈ ગયો છે સ્ત્રીઓ વિષે મારો રાગ ! જ્ઞાનના વિશાળ સમુદ્રમાં એ રાગને ધોવા માટે સતત પ્રયત્નશીલ છું. છતાં પણ એ રંગ જરાયે ઉખડતો નથી. હે પ્રભુ ! આપ મને આવા શ્યામલ પાપથી બચવાનો ઉપાય પણ નહિ બતાવો ? (સ્ત્રીઓના) ચપળ ચક્ષુયુક્ત ચહેરાને જોવાથી મનની અંદર જે રાગનો, અંશ લાગ્યો છે તે ચોલમજીઠ જેવો થઈ ગયો છે. પવિત્ર શાસ્ત્રરૂપી સમુદ્રમાં ધોયા છતાં પણ તે શી રીતે જાય? 6. ઈચ્છાજયવાળું પ્રાણી જ ઊર્ધ્વગામીવત્ છે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy