SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૮ રત્નત્રયી ઉપાસના ભવિજીવના ઉરરૂપ ઉપવનને હરિત કરતાં સદા, શુભવાણીનાં અમૃત વહે સંભવજિનેશ્વરના મુદ્દા; જાણે વહી સરવાણી જલની મહેંકતા ઉપવનમહીં, તે વાણી જિનવર- દેશનાની પામજો જય જગમહીં. ૫ સાગરતણી લહેરો વધે જિમ ચન્દ્રના દર્શન થકી, સ્યાદ્વાદ-સાગર ઉલ્લુસે તિમ જેમની વાણી થકી; ભગવાન અભિનંદન સદા ભવકલેશ સઘળા ટાળજો, ને પરમપદનો પરમ મંગલ અખય આનંદ આપજો. સુમતિ જિનેશ્વર ! આપ ચરણે દેવ જ્યારે પ્રણમતા, તેના મુકુટના અગ્ર ત્યારે પાદનખને સ્પર્શતા; રવિ સમ તદા તેજસ્વી સોહે ચરણના નખ હે વિભુ ! અમ મોહ તમહારી થો તે, ઈષ્ટ આ પૂરો પ્રભુ ! જાણે કરમરૂપી અરિ પર કોપના આટોપથી, જે બાલવિ સમ દીસતી ને દીપતી નિજ તેજથી; તનુકાંતિ પદ્મપ્રભતણી તે સંપદાને પોષો, ને નિખિલ જનના મનતણા સંતાપ સર્વે શોષો. - ૬ ७ જે ચાર ભેદે શોભતા વર સંઘના આકાશને, મહાસૂ થઈ દીપાવતા ને આપતા ઉદ્યોતને; જેના ચરણને દેવના ઈન્દ્રો સદાયે પૂજતા, તે શ્રી સુપાર્શ્વજિનેશ નમતાં પાપ કર્મો ધ્રૂજતા. ૯ સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. . ८ જાણે શરદપૂનમતણા ઉજ્જવલ શશીકિરણો ન હો, જાણે શુકલવર-ધ્યાનની પ્રતિમા અભિનવ એ ન હો; એવી અતિશય શુભ્ર જેની દેહ કાંતિ રાજતી, તે ચન્દ્રપ્રભજિન-મૂરતિ કલ્યાણ-માલા આપતી. ૧૦
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy