________________
૫૩૮
રત્નત્રયી ઉપાસના
ભવિજીવના ઉરરૂપ ઉપવનને હરિત કરતાં સદા, શુભવાણીનાં અમૃત વહે સંભવજિનેશ્વરના મુદ્દા; જાણે વહી સરવાણી જલની મહેંકતા ઉપવનમહીં, તે વાણી જિનવર- દેશનાની પામજો જય જગમહીં. ૫
સાગરતણી લહેરો વધે જિમ ચન્દ્રના દર્શન થકી, સ્યાદ્વાદ-સાગર ઉલ્લુસે તિમ જેમની વાણી થકી; ભગવાન અભિનંદન સદા ભવકલેશ સઘળા ટાળજો, ને પરમપદનો પરમ મંગલ અખય આનંદ આપજો.
સુમતિ જિનેશ્વર ! આપ ચરણે દેવ જ્યારે પ્રણમતા, તેના મુકુટના અગ્ર ત્યારે પાદનખને સ્પર્શતા; રવિ સમ તદા તેજસ્વી સોહે ચરણના નખ હે વિભુ ! અમ મોહ તમહારી થો તે, ઈષ્ટ આ પૂરો પ્રભુ !
જાણે કરમરૂપી અરિ પર કોપના આટોપથી, જે બાલવિ સમ દીસતી ને દીપતી નિજ તેજથી; તનુકાંતિ પદ્મપ્રભતણી તે સંપદાને પોષો, ને નિખિલ જનના મનતણા સંતાપ સર્વે શોષો.
-
૬
७
જે ચાર ભેદે શોભતા વર સંઘના આકાશને, મહાસૂ થઈ દીપાવતા ને આપતા ઉદ્યોતને; જેના ચરણને દેવના ઈન્દ્રો સદાયે પૂજતા, તે શ્રી સુપાર્શ્વજિનેશ નમતાં પાપ કર્મો ધ્રૂજતા. ૯
સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. .
८
જાણે શરદપૂનમતણા ઉજ્જવલ શશીકિરણો ન હો, જાણે શુકલવર-ધ્યાનની પ્રતિમા અભિનવ એ ન હો; એવી અતિશય શુભ્ર જેની દેહ કાંતિ રાજતી, તે ચન્દ્રપ્રભજિન-મૂરતિ કલ્યાણ-માલા આપતી. ૧૦