________________
ચાતુર્માસ આરાધના વિધિ.
પર૫
પરવત સહુ માટે વડો, મહાગિરિ તિણે કહેત; તે તીર્થેશ્વર પ્રણમિએ, દરશન લહે પુણ્યવંત. ૯ર પુણ્ય અનર્ગલ જેહથી, થાયે પાપ વિનાશ; તે તીર્થેશ્વર પ્રણમિએ, નામ ભલું પુણ્યરાશ. ૯૩ લક્ષ્મીદેવીએ કયો, કુંડે કમલ નિવાસ; તે તીર્થેશ્વર પ્રણમિએ, પદ્મનાભ સુવાસ. ૯૪ સવિ ગિરિમાં સુરપતિ સમો, પાતક પંક વિલાત; તે તીર્થેશ્વર પ્રણમિએ, પર્વત ઈન્દ્ર વિખ્યાત. ૯૫ ત્રિભુવનમાં તીર્થ સવે, તેહમાં મોટો એહ; તે તીર્થેશ્વર પ્રણમિએ, મહાતીરથ જસ રેહ. ૯૬ આદિ અંત નહિ જેહનો, કોઈ કાલે ન વિલાય;
તે તીર્થેશ્વર પ્રણમિએ, શાશ્વતગિરિ કહેવાય. ૯૭ . ભદ્ર ભલા જે ગિરિવરે, આવ્યા હોય અપાર;
તે તીર્થેશ્વર પ્રણમિએ, નામ સુભદ્ર સંભાર. ૯૮ વીર્ય વધે શુભ સાધુને, પામી તીરથ ભક્તિ, તે તીર્થેશ્વર પ્રણમિએ, નામે જે દઢશક્તિ. ૯૯ શિવગતિ સાધે જે ગિરિ, તે માટે અભિધાન, તે તીર્થેશ્વર પ્રણમિએ, મુક્તિનિલય ગુણખાણ. ૧૦૦ ચંદ્ર સૂરજ સમક્તિ ધરા, સેવ કરે શુભ ચિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિએ, પુષ્પદંત વિદિત. ૧૦૧ ભિન્ન રહે ભવ જલ થકી, જે ગિરિ લહે નિવાસ; તે તીર્થેશ્વર પ્રણમિએ, મહાપદ્મ સુવિલાસ. ૧૦૨
G
+ :
***
કોઈ બાંધનાર નથી, પોતાની ભૂલથી જ બંધાય છે.