SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૬ રત્નત્રયી ઉપાસના ભૂમિ ધરી જે ગિરિવરે, ઉદધિ ન લોપે લીહ, તે તીર્થેશ્વર પ્રણમિએ, પૃથિવીપીઠ અનહ. ૧૦૩ મંગલ સવિ મલવાતણું, પીઠ એહ અભિરામ; તે તીર્થેશ્વર પ્રણમિએ, ભદ્રપીઠ જસ નામ. ૧૦૪ મૂલ જાસ પાતાલમે, રત્નમય મનોહાર; તે તીર્થેશ્વર પ્રણમિએ, પાતાલમૂલ વિચાર. ૧૦૫ કર્મક્ષય હોયે જિહાં, હુય સિદ્ધ સુખકેલ; તે તીર્થેશ્વર પ્રણમિએ, અકર્મક મન મેલ. ૧૦૬ કામિત સવિ પૂરણ હોયે, જેનું દરિશન પામ; તે તીર્થેશ્વર પ્રણમિએ, સર્વકામ મન ઠામ. ૧૦૭ ઈત્યાદિક એકવીશ ભલાં, નિરૂપમ નામ ઉદાર; જે સમર્યાં પાતક હરે, આત્મ શક્તિ અનુસાર. ૧૦૮ 事事 (૫) શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રાએ જતાં યાત્રાળુઓને ઉપયોગી વિગત (૧) શ્રી ગિરિરાજની યાત્રાએ જતાં તલાટીએ તીર્થાધિરાજની સન્મુખ ચૈત્યવંદન કરવું. ત્યાં આજુબાજુ શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથ ભગવાનનાં પગલાં છે. સામે લાઈનબંધ દેરીઓમાં શ્રી આદિનાથ ભગવાન તથા શ્રી પુંડરીકસ્વામીજી, શ્રી કુંથુનાથ ભગવાન આદિનાં પગલાં છે. ત્યાં દર્શન કરવાં. (૨) ઉઘાડે પગે વિવેકપૂર્વક શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રાર્થે આગળ વધતાં બીજા વિસામાની સામે ભરત ચક્રવર્તી જેમણે આ 5. તેનો તું બોધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy