SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ રત્નત્રયી ઉપાસના ૦ રત્નત્રયી ઉપાસના પીષહ લેવાની વિધિ ! गृहिणोऽपि हि धन्या स्ते, पुण्यं ये पौषधव्रतम् । दुष्पालं पालयन्त्येव, यथा स चुलनीपिता ॥ ભાવાર્થ : તે ગૃહસ્થો પણ ધન્ય છે કે જેઓ, મહાશ્રાવક ચુલની પિતાની જેમ, પરમ પવિત્ર અને કઠિન પૌષધ-વ્રતનું સુંદર પાલન કરે પોસહ સૂર્યોદય પહેલાં લેવો જોઈએ. સૂર્યોદય પછી લેવાથી અતિચાર રૂપ દોષ લાગે. પોસહમાં ઉપયોગી ઉપકરણો. ૧. દિવસના પોસહવાળાને :- ૧. મુહપત્તિ ૨. કટાસણું. ૩. ચરવળો. ૪. શુદ્ધ ધોતીયું. પ. માતરીયું - ધોતીયું. ૬. કંદોરો. . ૮. જરૂર હોય તો ખેસીયું. ૯. સૂપડી-પુંજણી. ૧૦. માત્રા માટે કુંડી.. ૧૧. દંડાસણ. ૧૨. શુદ્ધિ માટે પાણી. ૧૩. કામળી. - ૨. રાત્રિ પોસહવાળાને વધારે :- ૧. સંથારીયું. ૨. ઉત્તરપટ્ટો. ૩. રૂના બે કુંડળ. ૪. શુદ્ધિ માટે ચુનો નાંખેલું પાણી. પ. વડી નીતિદિશા-જંગલ સ્પંડિલભૂમિએ જવું પડે તો લોટો. આથી વિશેષ કોઈ ખાસ ઉપકરણની જરૂર પડે તો ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે જાણી લઈ ઈરિયાવહિયા કરીને તેનું પડિલેહણ કરીને વાપરી શકાય. ૧. પોસહ લેવાનો વિધિ ૧. પ્રથમ ગુરુ પાસે સ્થાપનાચાર્ય સમક્ષ, અથવા નવકાર પંચિંદિયથી સ્થાપનાચાર્ય સ્થાપીને તેમની સમક્ષ, ખમાસમણ દઈ “ઈરિયાવહિયા” કરી ‘ઈચ્છા. પોસહ મુહપત્તિ પડિલેહું ?' (ગુરુ અધિકારનો ગેરઉપયોગ ક્યારેય કરવો નહીં.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy