________________
૪૦૮
રત્નત્રયી ઉપાસના
મલ્લકી નવ નવ લચ્છવી ગણનાં રાજવી, અહોરાત પૌષધ લઈ સાંભળે ધર્મ રસાળ જો; ભાવ ઉધોત ગયો ને અંધારું થયું, એમ એ જાણી પ્રગટાવે દીપમાળ જે. ૬ પડવે પ્રાત:કાળે ગૌતમ સ્વામીને, પ્રગટ્ય કેવલ તેણે એ પર્વ પ્રધાન જો; બીજે જમાડયાં બહેને નંદીવર્ધનભાઈને, ભાઈબીજનું પર્વ થયું એ પ્રધાન જો. 9 ત્યારથી પર્વ દિવાળી પ્રગટ્ય વિશ્વમાં, વીર સંભારણું સ્થિર બન્યુ જગમાંય જે લોકેલોકાત્તરમાં છે. પર્વ એ મોટડું, ઉજવતાં નરનારી સૌ હરખાય જો. ૮ ધર્મી જીવ દિવાળીનો છઠ ઉચ્ચરે, દિવાળીનો પોષણ કરે બહુમાન જો; વીરપ્રભુને વંદન પૂજન જાપથી, ભકિતભાવે આરાધે એકતાન જે. ૯ શ્રી મહાવીર સર્વજ્ઞ પારંગત પ્રભુ, ગૌતમ સ્વામી સર્વશનો કરે જપ જો; છે. હૃી શ્રી પ્રારંભે ને અંતે મેં નમ:, માળા વીસ એ કાપે સઘળાં દુઃખ જે. ૧૦ દિવાળીમાં શુદ્ધ તપ જપ જે કરે; લાખ કોડ ફળ પામે તે ઉજમાળ જે; નવલે વર્ષે ઉત્સવ રંગ વધામણાં, પદ્મ વિજય કહે ઘરઘર મંગળ માળ જે. ૧૧
- શ્રી પર્યુષણ પર્વનું ચૈત્યવંદન :વડા કલ્પ પૂરવ દિને, ઘરે કલ્પને લાવો; રાત્રિ જાગરણ પ્રમુખે કરી, શાસન સોહાવો. ૧ હય ગય રથ શણગારીને, કુંવર લાવો ગુરુ પાસે; વડાકલ્પ દિન સાંભળો, વીર ચરિત ઉલ્લાસે. ૨ છઠ દ્વાદશ તપ કીજીએ, ધરીએ શુભ પરિણામ
સ્વામિવત્સલ પ્રભાવના, પૂજા અભિરામ. ૩ જિન ઉત્તમ ગૌતમ પ્રત્યે, કહેજો એકવીશ વાર, ગુરુ મુખ પદ્મથી સુણીએ, તો પામે ભવ પાર. ૪
યોગવડે હૃદયને શુકલ કરવું.