________________
ચૈત્યવંદનો, સ્તવનો અને સ્તુતિઓ
:
-: શ્રી જ્ઞાનપંચમીની સ્તુતિ ઃ(રાગ – શ્રી શત્રુંજય તીરથ સાર)
કારતક શુદિ પંચમી તપ કીજે, ગુરુ મુખથી ઉપવાસ કરીજે, આગળ જ્ઞાન ભણીજે, દીપક પંચ પ્રગટ કરી જે, બહુ સુગંધિ ધુપ ધૂપીજે, સુરભિ કુસુમ પુજીજે, પંચવરણના ધાન, ઢોઈજે, વળી પાંચે શ્રી ફળ મુકીજે, પકવાન પાંચણે ઢોઈજે, નમો નાણસ્સ પદએહ ગુણીજે, ઉતરાભિમુખ સામા રહીજે, સહસ દોય ગુણીજે...(૧) પંચમીનો તપ વિધિ આરાધો, પાંચે જ્ઞાન સર્વે સાધો, સૌભાગ્ય જ વધો. શ્રી નેમ જન્મ કલ્યાણક જાણો વરસે વાર્ એક દિવસ વખાણો, તપ કરી ચિતમાં આણો; પાંસઠ માસે તપ પૂરો થાયે, વરદતની પર કષ્ટ પલાયે આગળ, જ્ઞાન ભણાયે, ગુણ મંજરી, કુંવરી ગુણ ખાણી તપ કરી હુઈ શિવ ઠકુરાણી, સુણીએ અનવર વાણી..(૨) પાટી પોથી ઠવળી કવળી, કાંબી કાતરને વળી ધવળી લેખણ ખડિયા ચવળિ, સઘળા પાંઠાને રૂમાલ ચાબખી લહકે ઝાક ઝમાળ, નવકાર વાળી પરવાળ, વાસ કુંપી ધોતિયા ધરે વો,
કળશ આરતી મંગળ દીવો.
શ્રી જિન બિંબ પુજે વો, સિદ્ધાંત લખાવી જે ગુણ ગેહ,
પાંચ પાંચ વસ્તું સર્વે એહ
જ.
કરીએ ઉજમણું ધરી નેહ...(૩)
સૃષ્ટિસૌંદર્યમાં મોહ રાખવો નહીં.
૩૯૫