________________
૩૯૦
રત્નત્રય ઉપાસના
કાલ અનાદિ સંજ્ઞા ચોકી ચારની અળગી થાશે ક્યારે આતમથી સાવ જો, નંદન મુનિવર જીવ જિનેશ્વર વીરના, જેવો તપશું તપ ભવદરિયે નાવ જો. .... એવો. ૧૩ રૂપ ગંધ રસ સ્પર્શ શબ્દના વંદની, બાહ્ય અત્યંતર ત્યાગ ક્યારે મુજ થાય જો, ગજસુકુમાલ સુકોશલ મેતારજ મુનિ, જેવો થઈને જિતું ચાર કષાય જો. .... એવો. ૧૪ કાકંદી નગરીનો ધન્નો મુનિવરૂ, ધન્ના શાલી મુનિવર મેઘકુમાર જો, બાહુબલી ઢંઢણને બંધક ત્યાગીઆ, જેવા વ્રત પાળશું નિરતિચાર જો..... એવો. ૧૫ જ્યારે રહીશું કાઉસગ્નમાં એકતાનજો, અપૂર્વકરણ ગુણકાણું ક્યારે પામશું, ક્ષપણશ્રેણિનો કરશું કયારે સ્વાદ જો, સહજાનંદ સ્વભાવદશા મળશે કદી, યથાવાતનો મેળવશું આહલાદ જો. ... એવો. ૧૭ જન્મ ભલે મુજ જ્યારે જ્યાં ત્યાં જે મળે, પણ મળજો મુજ અપુનબંધક ભાવ જો, સુખદુ:ખને સહેવાની સાચી ધીરતા, સોડહં પદનું રટન થજો શુભભાવ જો. ... એવો. ૧૮ અનિત્ય અશરણ આદિ બારે ભાવના, મૈત્રી-પ્રમોદ આદિ ભાવના ચાર જજે, પંચ મહાવ્રત કેરી પચવીશ ભાવના, ભાવીને ઉતરશું ક્યારે પાર જો. .... એવો. ૧૯
સર્વ પ્રાણીમાં સમભાવ રાખવો.