SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ રત્નત્રય ઉપાસના શ્રી અરણીક મુનિની સજઝાય મુનિ અરણીક ચાલ્યા ગોચરી રે વનના વાસી, એનું રવિ તપે રે લલાટ; મુનિવર વૈરાગી. ૧ મુનિ ઉચા મંદિર કોશ્યાતણા રે વનના વાસી, જઈ ઉભા રહ્યા ગોખની હેઠ; મુનિવર વૈરાગી. ૨ કોશ્યાએ દાસી મોકલી ઉતાવળી રે વનના વાસી, પેલા મુનિને અહીં તેડી લાવ; મુનિવર વૈરાગી. ૩ મુનિ મંદિરે તે ચાલ્યા ઉતાવળા રે વનના વાસી, તિહાં જઈ દીધો ધર્મલાભ; મુનિવર વૈરાગી. ૪ મુનિ પંચરંગી બાંધો પાઘડી રે વનના વાસી, તમે મેલો ઢળકતા તાર; મુનિવર વૈરાગી. ૫ મુનિ નવા નવા નિીત લઉ વારણા રે વનના વાસી, તમે જમો મોદકના આહાર; મુનિવર વૈરાગી. ૬ મુનિની માતા શેરીએ શોધતી રે વનના વાસી, ત્યાં જોવા મલ્યા બહુ લોક; મુનિવર વૈરાગી. ૭ કોઈએ દીઠો મારો અરણીકો રે વનના વાસી, એ તો લેવા ગયા છે આહાર; મુનિવર વૈરાગી. ૮ મુનિ ગોખે બેઠે રમે સોગઠે રે વનના વાસી, ત્યાં સાંભળ્યો માતાજીનો શોર; મુનિવર વૈરાગી. ૯ મુનિ ગોખેથી હેઠા ઊતર્યા રે વનના વાસી, જઈ લાગ્યા માતાજીને પાય; મુનિવર વૈરાગી. ૧૦ મુનિ ન કરવાના કામ તમે કર્યા રે વનના વાસી, તમે થયા ચારિત્રના ચોર; મુનિવર વૈરાગી. ૧૧ અમે શીલા ઉપર જઈ કરશું સંથારો રે વનના વાસી, અમને ચારિત્ર નહિ રે પળાય; મુનિવર વૈરાગી. ૧૨ મુનિએ શીલા ઉપર જઈ ક્યોં સંથારો રે વનના વાસી, ત્યાં તો ઉપન્યું છે કેવલજ્ઞાન; મુનિવર વૈરાગી. ૧૩ હીરવિજય ગુરુ હીરલો રે વનના વાસી, ત્યાં તો લબ્ધિવિજય ગુણ ગાય; મુનિવર વૈરાગી. ૧૪ શુકલભાવથી મનુષ્યનું મન હરણ કરવું.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy