________________
તિર્થંકર ભગવાનના ત્યવંદનો.
૩૬૫
ધૂણીમાં બળતો દયાનિધિ તમે, શાને કરી સર્પને, જાણી સર્વ જનો સમક્ષ ક્ષણમાં, આપી મહામંત્રને, કીધો શ્રી ધરણેન્દ્રને ભવ થકી તાર્યા ઘણા ભવ્યને આપો પાર્શ્વ જિનેન્દ્ર નાશરહિતા, સેવા તમારી મને. ૨૩ શ્રી સિદ્ધાર્થ નરેન્દ્રના કુલ નભે, ભાનુ સમા છો વિભુ, હારા ચિત્તચકોરને જિન તમે, છો પૂર્ણ ચંદ્ર પ્રભુ પામ્યો છું પશુતા ત્યજી સુરપણું, હું આપના ધર્મથી, રક્ષો શ્રી મહાવીર દેવ મુજને, પાપી મહા કર્મથી. ૨૪
છે
ત્યવંદનનો સંગ્રહ
એકસો સિત્તેર જિન ચૈત્યવંદન સોળે જિનવર શામળા, રાતા ત્રીસ વખાણ; લીલા મરકત મણી સમા, આડત્રીસ ગુણખાણ. પીળા કંચન વર્ણ સમા, છત્રીશે જિનચંદ; શંખવરણ સોહામણું, 'પચ્ચાસે સુખકંદ. સીત્તેર સો જિન વંદિએ, ઉત્કૃષ્ટા સમકાળ; અજિતનાથ વારે હુવા, વંદુ થઈ ઉજમાળ. નામ જપતા જિનતણું, દુરગતિ દૂર જાય; ધ્યાન ધ્યાતા પરમાત્માનું, પરમ મહોદય થાય જિનવર નામે જશ ભલો એ, સફળ મનોરથ સાર; શુદ્ધ પ્રતિતી જિન તણી, શિવ સુખ અનુભવ ધાર. ૫ વૈશાખ શુદિ દશમી દિને, ધ્યાન શુક્લ મન ધ્યાય; શમીવૃક્ષ તળે પ્રભુ, પામ્યા પંચમનાણ. ૬
તત્ત્વધર્મ સર્વજ્ઞતાવડે પ્રણીત કરવો.