SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ રત્નત્રયી ઉપાસના 763 -: શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનું સ્તવન : મુનિસુવ્રત મન મોહ્યું મારૂં, શરણ ગ્રહ્યું મેં તુમારું; પ્રાતઃ સમય જ્યારે હું જાણું, સ્મરણ કરૂં છું તુમારું, હો જિનજી; તુજ મૂરતિ મન હરણી, ભવસાગર જલ તરણી, હો જિનજી. તુજ.૧ આપ ભરોશો આ જગમાં છે, તારો તો ઘણું સારું, જન્મ જરા મરણો કરી થાક્યો, આશરો લીધો છે મેં તારો, હો જિનજી. તુજ.૨ ચું ચું શું શું ચિડીયા બોલે, ભજન કરે છે તુમારું; મૂર્ખ મનુષ્ય પ્રમાદે પડ્યો રહે, નામ જપે નહિં તારું; હો જિનજી. તુજ.૩ ભોર થતાં બહુ શોર સુછું હું, કોઈ હસે કોઈ રુવે ન્યારું, સુખીઓ સુવે ને દુ:ખીઓ રુવે, અકલ ગતિએ વિચારું; હો જિન. તુજ.૪ . ખેલ ખલકનો બંધ નાટકનો, કુટુંબ કબીલો હું ધારું; જ્યાં સુધી સ્વાર્થ ત્યાં સુધી સર્વે, અંત સમયે સહુ ન્યારું; હો જિનજી. તુજ.૫ માયા જાળ તણી જોઈ જાણી, જગત લાગે છે ખારૂં, ‘‘ઉદયરત્ન’’ એમ જાણી પ્રભુ તારૂં, શરણ ગ્રહ્યું છે મેં સારૂં; હો જિનજી. તુજ.૬ સ્તુતિ ઃ - : શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનની મુનિસુવ્રત નામે, જે ભવિ ચિત્ત કામે, સવિ સંપત્તિ પામે, સ્વર્ગનાં સુખ જામે; ન કો તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકાર્થે અન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy