SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો. ૩૩૫ ૧૭) શ્રી કુંથુનાથ ભગવાન - શ્રી કુંથુનાથ ભગવાનનું ચૈત્યવંદન :કુંથુનાથ કામિત દીએ, ગજપુરનો રાય; સિરિ માતા ઉરે અવતર્યો, શૂર નરપતિ તાય. ૧ કાયા પાંત્રીસ ધનુષની, લંછન જસ છાગ; કેવલજ્ઞાનાદિક ગુણો, પ્રણમો ધરી રાગ. ૨ સહસ પંચાણું વરસનું એ, પાલી ઉત્તમ આય; પદ્મવિજય કહે પ્રણમીએ, ભાવે શ્રી જિનરાય. ૩ - શ્રી કુંથુનાથ ભગવાનનું સ્તવન - મનડું કિમ હી ન બાજે હો કુંથુજિન, મનડું કિમ હી ન બાજે જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અળગું ભારે હો. કુંથુ.૧ રજની વાસર વસતી ઉજજડ, ગયણ પાયાલે જાય; સાપ ખાય ને મુખડું થોથું, એહ ઉખાણો ન્યાય હો. કુંથુ.ર મુક્તિતણા અભિલાષી તપીયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઈ એહવું ચિતે, નાંખે અવળે પાસે હો; કુંથુ.૩ આગમ આગમધરને હાથે, નાવે કિણ-વિધ આકું; કિહાં કણે જો હઠ કરી અટકું તો વ્યાલ તણી પરે વાંકું હો; કુંથુ.૪ જે ઠગ કહું તો ઠગતો ન દેખું, શાહુકાર પણ નાહિ; સર્વ માંહે ને સહુથી અલગું, એ અચરિજ મનમાંહિ હો. કુંથુ.૫ જે જે કહું તે કાન ન ધારે, આપ મતે રહે કાલો; સુરનર પંડિત જન સમજાવે, સમજે ન માહરો સાલો હો. કુંથુ.૬ જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy