________________
તિર્થંકર ભગવાનના ચેત્યવંદનો...
૩૧૫
- શ્રી પદ્મપ્રભ ભગવાનની સ્તુતિ :અઢીશ ધનુષ કાયા, ત્યક્ત મદ મોહ માયા, સુસીમા જસ માયા, શુક્લ જે ધ્યાન ધ્યાયા; કેવલ વર પાયા, ચામરાદિ ધરાયા, સેવે સુર રાયા, મોક્ષ નગરે સિધાયા. કોશામ્બી તીર્થાધિપતિ શ્રી પદ્મપ્રભસ્વામિને નમઃ |
૭) શ્રી સુપાર્શ્વનાથ ભગવાન - શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવંદન :
શ્રી સુપાર્થ નિણંદ પાસ, ટાળ્યો ભવ ફેરો, પૃથ્વી માત ઉરે જયો, તે નાથ હમેરો. ૧ પ્રતિષ્ઠિત સુત સુંદર, વાણારસી રાય, વીશ લાખ પૂરવ તણું પ્રભુજીનું આય. ૨ ધનુષ બનેં જિન દેહડી એ, સ્વસ્તિક લંછન સાર, પદ પદ્મ જસ રાજતો, તાર તાર ભવ તાર. ૩
- શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું સ્તવન - શ્રી સુપાસ જિન વંદીએ, સુખ સંપત્તિનો હેતુ-લલના, શાંત સુધારસ જલનિધિ, ભવસાગરમાંહે સેતુ-લલના. શ્રી.૧ સાત મહાભય ટાળતો, સપ્તમ જિનવર દેવ લલના, સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ લલના. શ્રી.૨ શિવશંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન લલના, જિન અરિહા તીર્થકરુ, જ્યોતિ સ્વરૂપ અસમાન લલના. શ્રી.૩
ગુણવંતની પૂજા કરવી.