________________
તિર્થંકર ભગવાનના ત્યવંદનો..
૩૧૧
હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ,
અતિ દુર્ગમ નયવાદ; આગમ વાદે હો ગુરુગમ કો નહીં,
એ સબલો વિખવાદ, અભિ. ૩ ઘાતી ડુંગર આડા અતિ ઘણા,
તુજ દરિશણ જગનાથ ! ધીઠાઈ કરી મારગ સંચરું,
સેગું કોઈ ન સાથ. અભિ. ૪ દરિશણ દરિશણ રટતો જો ફિરું,
તો રણ-રોઝ સમાન; જે હને પિપાસા હો અમૃત પાનની,
કિમ ભાંજે વિષપાન. અભિ. ૫ તરસ ન આવે તો મરણ જીવન તણી,
સીઝે જો દરિશણ કાજ; દરિશણ દુર્લભ સુલભ કૃપાથકી, - “આનંદઘન” મહારાજ. અભિ. ૬
- શ્રી અભિનંદનનાથ ભગવાનની સ્તુતિ :* સંવર સુત સાચો, જાસ સ્યાદ્વાદ વાચો,
થયો હીરો જાચો, મોહને દેઈ તમાચો; પ્રભુ ગુણગણ માચો, એહના ધ્યાને રાચો, જિનપદ સુખ સાચો, ભવ્ય પ્રાણી નિકાચો. | અયોધ્યા તીર્થાધિપતિ શ્રી અભિનંદન સ્વામિને નમઃ |
પુત્રના વખાણ તેની પાછળ કરવાં પણ તેના મુખ આગળ ન કરવા.