________________
તિર્થંકર ભગવાનના ચેત્યવંદનો
૨૯૯
ચોવીસ તિર્થંકર ભગવાનના ચેત્યવંદનો - સ્તવનો તથા સ્તુતિઓ |
- ૧) શ્રી ઋષભદેવ ભગવાન -: શ્રી ઋષભદેવ ભગવાનના ચૈત્યવંદના :
આદિદેવ અલવેસરૂ, વિનીતાનો રાય નાભિરાયા કુલ મંડણો, મરૂદેવા. માય (૧) પાંચસે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાલ, ચોરાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાલ (૨) વૃષભ લંછન જિન વૃષ ધરૂએ, ઉત્તમ ગુણ મણિખાણ, તસ પદ પદ્મ સેવન થકી, લહીએ અવિચળ ઠાણ (૩)
(૨). આદિદેવ અરિહંત નમું, સમરું તારું નામ,
જ્યાં જ્યાં પ્રતિમા જિન તણી ત્યાં ત્યાં કરૂં પ્રણામ ........ શત્રુજય શ્રી આદિદેવ, નેમ નમું ગિરનાર, તારંગે શ્રી અજિતનાથ, આબુ રિખવ જુહાર ...૨..... અષ્ટાપદ ગિરિ ઉપરે, જિન ચોવીશે જોય, મણિમય મૂરતિ માનશું, ભરતે ભરાવી સોય ...૩... સમેતશીખર તીરથ વડું, જિહાં વીસે જિન પાય, વૈભારગરિવર ઉપરે, શ્રી વીર જિનેસર રાય ....૪.... માંડવગઢનો રાજિયો, નામે દેવ સુપાસ ઋષભ કહે જિન સમરતાં, પહોંચે મનની આશ ...૫...
લોક નિંદા કરે તેવું કામ ન કરવું.