________________
૨૯૮
રત્નત્રયી ઉપાસના
-
a
de '
sી.
કુસુમ પત્ર ફળ મંજરી, સુણ.'
શાખા થડ ને મૂળ રે, ગુણ. દેવ તણા વાસાય છે, સુણ.
તીરથને અનુકૂળ રે, ગુણ.૫ તીરથ ધ્યાન ધરો મુદા, સુણ.
સેવો એહની છાંય રે, ગુણ. . “જ્ઞાનવિમલ” ગુણ ભાખીયો, સુણ.
શત્રુંજય મહાત્મ માંય રે. ગુણ.૬ - શ્રી રાયણ પગલાની સ્તુતિ - શ્રી શત્રુંજય આદિજિન આવ્યા, પૂર્વ નવાણું વારજી, અનંત લાભ ઈંહાં જિનવર જાણી, સમોસર્યા નિરધાર; . વિમલગિરિવર મહિમા મોટો, સિદ્ધાચલ ઈણે ઠામજી; કાંકરે કાંકરે અનંતા સીંધ્યા, એકસો ને આઠ ગિરિનામજી.
વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સપુરૂષના ચોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી
ઓષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ
બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! હે જીવ! આ કલેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહીં તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે.
પોતાનું સાહસ સત્વ છોડવું નહી. જો પોતામાં સત્વ હોય તો સર્વ કારજ થાય.