________________
શ્રી પાક્ષિક પ્રતિક્રમણ વિધિ
૨૪૩
1
- -
ન ભણ્યો, ઊઠતાં પચ્ચખાણ કરવું વિસાવું, ગંઠસિયું ભાંગ્યું. નીવિ, આંબિલ, ઉપવાસાદિ તપ કરી કાચું પાણી પીધું, વમન હુઓ. બાહ્ય તપ વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી, તસ્ય મિચ્છામિ દુક્કડં. (૧૪)
અત્યંતર તપ પાયચ્છિત્ત વિણઓ.
મનશુદ્ધ ગુરુકને આલોયણ લીધી નહીં; ગુરુદત્ત-પ્રાયશ્ચિત તપ લેખા શુદ્ધ પહોંચાડ્યો નહીં; દેવ, ગુરુ, સંઘ, સાહમિ પ્રત્યે વિનય સાચવ્યો નહીં. બાલ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી પ્રમુખનું વેયાવચ્ચ ન કીધું. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા લક્ષણ પંચવિધ સ્વાધ્યાય ન કીધો, ધર્મધ્યાન શુકલધ્યાન ન ધ્યાયાં, આર્તધ્યાન રૌદ્રધ્યાન ધ્યાયાં. કર્મક્ષય નિમિત્તે લોગસ્સ દશ-વીશનો કાઉસ્સગ્ન ન કીધો. અત્યંતર તપ વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. (૧૫)
વીર્યાચારના ત્રણ અતિચાર અણિમૂહિએ બલવીરિઓ.
પઢવે, ગુણવે, વિનય, વૈયાવચ્ચ, દેવપૂજા, સામાયિક, પોસહ, દાન, શીલ, તપ, ભાવનાદિક ધર્મકૃત્યને વિષે મન વચન કાયા તણું છતું બળ, છતું વીર્ય ગોપવ્યું. રૂડાં પંચાંગ ખમાસમણ ન દીધાં. વાંદણાતણા આવત વિધિ સાચવ્યા નહીં. અન્યચિત્ત નિરાદરપણે બેઠા. ઉતાવળું દેવવંદન, પડિક્કમણું કીધું. વીર્યાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચને, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુક્કડં. (૧૬)
૧. ઈન્દ્રિયો અને શરીરની શક્તિ. ૨. આત્માની શક્તિ, ૩. શૂન્ય ચિત્ત
ધર્મી માણસને સંવત્સરીએ ખાવું પડે તો ખાય પણ તેને ખાતા લજ્જા આવવી જોઈએ.