________________
૨૪૪
રત્નત્રયી ઉપાસના
*નાણાઈઅઠપઈવય, સમ્મસંહણ પણ પન્નર કમેસુ,
બારસતપ વિરિઅતિગં ચઉવ્વીસસય અઈયારા. પડિસિદ્ધાણં કરણે. પ્રતિષેધ અભક્ષ્ય, અનંતાય, બહુબીજભક્ષણ, મહારંભ પરિગ્રહાદિક કીધાં. જીવાજીવાદિક સૂક્ષ્મ વિચાર સહ્યા નહીં, આપણી કુમતિ લગે ઉત્સુત્ર-પ્રરૂપણા કીધી. તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રોગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, રતિ-અરતિ, પર-પરિવાદ, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપસ્થાનક કીધાં, કરાવ્યાં, અનુમોદ્યાં હોય; દિનકૃત્ય-પ્રતિકમણ, વિનય, વૈયાવચ્ચ ન કીધાં. અનેરું જે કાંઈ વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ કીધું, કરાવ્યું, અનુમોધું હોય, એ **ચિહું પ્રકાર માટે અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ, બાદર જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચને, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. (૧૭)
એવંકારે શ્રાવકતણે ધર્મે શ્રી સમ્યકત્વ મૂલ બાર વ્રત એકસો ચોવીસ અતિચારમાંહિ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં.
શ્રાવકના પફબી અતિચાર સમાપ્ત
* જ્ઞાનાદિના એટલે જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચારના આઠ આઠ તે (૨૪), પ્રત્યેક વ્રતના એટલે શ્રાવકના બાર વ્રતના દરેકના પાંચ તે (૬૦), સમ્યકત્વ અને સંલેષણાના પાંચ પાંચ તે (૧૦), કર્માદાનના (૧૫), તપાચારના (૧૨) અને વીર્યાચારના (૩) એમ સર્વ મળી ૧૨૪ અતિચાર.
** ૧) પ્રતિષિદ્ધ વસ્તુનું કરવું, ૨) કરવા યોગ્ય અનુષ્ઠાનનું ન કરવું, ૩) વીતરાગના વચનની અશ્રદ્ધા કરવી અને ૪) વિપરીત પ્રરૂપણા કરવી એ ચાર પ્રકાર.
નહિ ખાવામાં જેટલું સુખ છે તેટલું સુખ ખાવામાં નથી.