SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ રત્નત્રયી ઉપાસના -: શ્રી શત્રુંજય તીર્થના સ્તવનો :(૧) (રાગ – મન ડોલે તન ડોલે) આજ મારાં નયણાં સફળ થયાં, શ્રી સિદ્ધાચલ નિરખી; ગિરિને વધાવું મોતીડે, મારા હૈડામાં હરખી. આજ ૧ ધન્ય ધન્ય સોરઠ દેશને, જિહાંએ તીરથ જોડી; વિમલાચલ ગિરનારને, વંદુ બે કરોડી. આજ૦ સાધુ અનંતા ઈણેગિરિ, સિદ્ધાં અણસણ લેઈ; રામ પાંડવ નારદઋષિ, બીજા મુનિવર કેઈ. આજ૦ ૩ માનવ ભવ પામી કરી, નવિ એ તીરથ ભેટે; પાપ કરમ જે આકરાં, કહો કેણી પેરે . મીઢે. આજ૦ ૪ તીર્થરાજ સમરૂં સદા, સારે વંછિત કાજ; ' ૨ દુઃખ દોહગ દૂરે કરી, આપે અવિચલરાજ. આજ૦ ૫ સુખના અભિલાષી પ્રાણીયા, વંછે અવિચલ સુખડાં; માણેક મુનિ ગિરિ ધ્યાનથી, ભાંગે ભવોભવ દુઃખડાં. આજ (૨) શ્રી રે સિદ્ધાચલ ભેટવા, મુજ મન અધિક ઉમાયો; ઋષભદેવ પૂજા કરી, લીજે ભવતણો લાહો, શ્રી રે ।।૧।। મણિમય મૂરતિ શ્રી ઋષભની, નીપાઈ અભિરામ; ભવન કરાવ્યા કનકનાં, રાખ્યાં ભરતે નામ, શ્રી રે ।।રા નેમિ વિના ત્રેવીસ પ્રભુ, આવ્યા સિદ્ધક્ષેત્ર જાણી; શેત્રુંજા સમુ તીરથ નહીં, બોલ્યા સીમંધર વાણી, શ્રી રે ।।૩।। જેટલા પુસ્તક ભણે તેટલાને તત્ત્વજ્ઞાન ન થાય હૈયામાં ઉતારે તેને તત્ત્વજ્ઞાન થાય.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy