________________
શ્રી રાઈચ-પ્રતિક્રમણ વિધિ
(૩)
શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, પુંડરીકગિરિ સાચો; વિમલાચલ ને તીર્થરાજ, જસ મહિમા જાચો. ।।૧।।
મુક્તિનિલય શતકૂટ નામ, પુષ્પદંત ભણીજે; મહાપદ્મને સહસ્રપત્ર ગિરિરાજ કહીજે. ર
ઈત્યાદિક બહુ ભાતિશું એ, નામ જપો નિરધાર; ધીરવિમલ કવિરાજનો, શિષ્ય કહે સુખકાર. ॥૩॥ (૪) શ્રી શત્રુંજય મહાત્મ્યની રચના કીધી સાર; પુંડરિકગિરિના સ્થાપનાર, પ્રથમ જિન ગણધાર. ॥૧॥ એક દિન વાણી જિનની, સુણી થયો આનંદ; આવ્યા શત્રુંજય ગિરિ, પંચ ક્રોડ સહ રંગ. ॥૨॥ ચૈત્રી પૂનમને દિન એ, શિવ શું કીધો યોગ; નમિએ ગિરિને ગણધરૂં, અધિક નહીં ત્રિલોક. ॥૩॥ (૫) આદીશ્વર જિનરાયનો, ગણધર ગુણવંત; પ્રગટ નામ પુંડરિક જાસ, મહિમાએ મહંત. ॥૧॥
પંચ ક્રોડ મુણિંદ સાથ, અણસણ જીહાં કીધ;
શુકલ ધ્યાન ધ્યાતાં અમૂલ, કેવલ ત્યાં લીધ. ॥૨॥
ચૈત્રી પૂનમ ને દિને એ, પામ્યા પદ મહાનંદ
તે દિનથી પુંડરિકગિરિ નામ દાન સુખકંદ ॥૩॥
卐圖卐
શ્રી વીતરાગને હૈયામાં સ્થાપવા માટે તીર્થ વારંવાર જવાનું.
૧૪૩