SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સ્નાત્ર પૂજા (૨) જન્મ મરણાદિ ભય ટળે, સીઝે જો દર્શન કાજ, રત્નત્રયી પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિનરાજ... ૩ જ્ઞાન વહું સંસારમાં, જ્ઞાન પરમસુખ દેત, જ્ઞાન વિના જગ જીવડો, ન લહે તત્ત્વ સંકેત... ૪ (૩) રિક્ત કરે વળી જેહ, વંદો તે ગુણગેહ... ૫ ચય તે સંચય કર્મનો, ચારિત્ર નિરૂત્તે કહ્યું, દર્શન જ્ઞાન ચારિત્ર, એ રત્નત્રયી શિવદ્વાર, ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવદુ:ખ ભંજનહાર... ૬ પછી સ્નાત્રિયાઓએ હાથ ધૂપી, હાથમાં કળશ લઈ મુખકોશ બાંધી ઊભા રહેવું. (દુહો) સયલ જિણેસર પાય નમી, કલ્યાણક વિધિ તાસ; વર્ણવતાં સુણતાં થકાં, સંઘની પૂગે આશ... ||૧|| અર્થ :- સર્વ જિનેશ્વર ભગવંતના ચરણકમળમાં નમસ્કાર કરી, તે ભગવંતના કલ્યાણકનો વિધિ હું કહું છું. તે કલ્યાણકની વિધિનું વર્ણન કરતાં અને સાંભળતાં સમગ્ર સંઘની ઈચ્છા સફળ થાય છે. (ઢાળ) સમકિત ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમ સુખ રમ્યા; વીસસ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવદયા દિલમાં ધરી...૧ ૫૧ ઉપ એટલે સમીપમાં, વાસ એટલે વસવું, આત્માની નજીકમાં જઈને વસવું તે ઉપવાસ.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy