SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ રત્નત્રયી ઉપાસના અર્થ :- જેની સુગંધથી દશે દિશાના ભ્રમરો ગુંજારવ કરતા ભેગા થાય છે, એવી જિનેશ્વર ભગવંતના ચરણ ઉપર મૂકેલી કુસુમાંજલિ દેવતાઓને અને મનુષ્યોને સિદ્ધગતિ આપે છે. નમોઽહંસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:। (કુસુમાંજલિ – ઢાળ) પાસ જિણેસર જગ જયકારી, જલ થલ ફૂલ ઉદક કરધારી, કુસુમાંજલિ મેલો પાર્શ્વ જિણંદા. ।૧૦। અર્થ : ત્યાર પછી ઉત્તમ જળ તથા સ્થળનાં જળ અને ફૂલ લઈને જગતમાં જયવંત એવા શ્રી પાર્શ્વનાથ ભગવંતના ચરણ ઉપર કુસુમાંજલિ મૂકવી. (૧૦) (દુહો) મૂકે કુસુમાંજલિ સુરા, વીર ચરણ સુકુમાલ; તે કુસુમાંજલિ ભવિકનાં, પાપ હરે ત્રણકાળ. ॥૧૧॥ અર્થ :- દેવતાઓ પણ જે કુસુમાંજલિ શ્રી વીરપ્રભુના સુકુમાલ ચરણે મૂકે છે, તે કુસુમાંજલિ મૂકવાથી ભવ્ય પ્રાણીઓનાં ત્રણકાળનાં પાપ દૂર થાય છે. (૧૧) નમોડર્હસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:। (કુસમાંજલિ – ઢાળ) વિવિધ કુસુમ વરજાતિ ગહેવી, જિનચરણે પણ મંત ઠવેવી; કુસુમાંજિલ મેલો વીરિજણંદા. ૧૨॥ અર્થ :- ઉત્તમ પ્રકારના વિવિધ શ્રેષ્ઠ જાતિનાં પુષ્પો લઈને જગતમાં જયવંત એવા શ્રી વીરભગવંતના ચરણકમળમાં નમસ્કાર કરી કુસુમાંજલિ મૂકવી. (૧૨) 5 તમારો ત્યાગ, બીજાને ત્યાગ ભાવ પેદા કરે તેવો હોવો જોઈએ.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy