SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ જ રત્નત્રયી ઉપાસના છ સુરભિ અખંડ કુસુમગ્રહિત, પૂજો ગત સંતાપ; સુમ જંતુ ભવ્ય જ પરે, કરીયે સમતિ છાપ ! » હીં* શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા. (૨૭ ડંકા.) પાંચ કોડીને ફૂલડે, પામ્યા દેશ અઢાર. રાજા કુમારપાળનો, વત્યો જય જયકાર ! (સુંદર સુગંધવાળા અને અખંડ પુષ્પો ચઢાવવા, નીચે પડેલા તથા વાસી પુષ્પો ચઢાવાય નહિ.) | છે * પતિ-પત્નીનું જીવન તો જ સુખમય બને, જો બેય પક્ષે સ્વ-દોષ દર્શન થાય. સહન કરવાની બાબતમાં બંનેએ સ્પર્ધા કરવી જોઈએ. સમયની સાથે સમજુતી કરવી પડે છે નહિ તો એવું બને કે સમય આગળ નીકળી જાય અને આપણે પાછળ રહી જઈએ. * બીજાના ગુણ જુઓ તો આપણામાં ગુણ આવશે અને બીજાના દોષ જોશું તો આપણામાં દોષ આવશે. * ધાર્મિકતા એ સુંદર બાબત છે, પરંતુ તેથી માનવતા રાષ્ટ્રીયતાની ઉપેક્ષા ન કરાય, તેથી તો ધર્મ વગોવાય. દોષોનો સમ્રાટ અહંકાર છે, કેમકે તે સ્વ-દોષ દર્શન અને પરગુણદર્શન કદી થવા દેતો નથી. * જે સારું કામ કરવું તે :- ૧. વિચારીને કરવું ૨. તરત કરવું ૩. સરસ કરવું૪. જાતે કરવું; ૫. પૂરું કરવું. ૨ + - 1 1 કોઈ ગમે તેમ સંભળાવે તેને સમભાવે સહન કરવું એ પણ ધર્મ છે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy