SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપ્રકારી પૂજા પ્રભુ પૂજાના દુહા વિભાગ એક - પૂજા અનેક...... પૂજાત્રિક અંગપૂજા ઃ જળપૂજા...ચંદનપૂજા...પુષ્પપૂજા... પરમાત્માના અંગને સ્પર્શીને જે પૂજા થાય તે અંગપૂજા કહેવાય. જીવનમાં આવતાં વિઘ્નોનો નાશ કરનારી અને મહાફળને આપનારી આ પૂજાને વિઘ્નોપશામિનિ પૂજા કહેવાય છે. અગ્રપૂજા : ધુપ-દીપક-અક્ષત-નૈવેદ્ય-ફળપૂજા... પરમાત્માની સન્મુખ ઉભા રહીને જે પૂજા થાય તે અગ્રપૂજા કહેવાય. મોક્ષ માર્ગની સાધનામાં સહાયક એવી સામગ્રીનો અભ્યુદય પ્રાપ્ત કરાવતી આ પૂજાને અભ્યુદયકારિણી પૂજા કહેવાય છે. ભાવપૂજા સ્તુતિ-ચૈત્યવંદન-સ્તવન-ગીત-ગાન-નૃત્ય... જેમાં કોઈં દ્રવ્યની જરૂર નથી તેથી આત્માને ભાવવિભોર બનાવવાની પૂજાને ભાવપૂજા કહેવાય. મોક્ષપદની પ્રાપ્તિ એટલે કે સંસારથી નિવૃત્તિ અપાવતી આ પૂજાને નિવૃત્તિકારિણી પૂજા કહેવાય છે. ધુપ..દિપક..અગ્રપૂજા કર્યા બાદ અંગપૂજા કરવી ઊચિત નથી. તેમ છેલ્લે ચૈત્યવંદનની ક્રિયા એટલે કે ભાવપૂજા કર્યા પછી અંગ કે અગ્રપૂજા કરવી ઊચિત નથી.... અંગપૂજા-અગ્રપૂજા કર્યા પછી છેલ્લે ભાવપૂજા થાય તે શાસ્ત્રોક્ત ક્રમ છે તે સાચવવો. a BC શત્રુને વેરથી નહિ પણ પ્રેમથી, સહેલાઈથી જીતી શકાય છે. ૨૫
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy