SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્ય આરાઘના વિધિ * ફૂલ અખંડ ચઢાવવું, પાંખડીઓ તોડી-તોડીને ન ચઢાવાય. * પછી ધૂપ-દીપ-ચામર-દર્પણ-અક્ષત-નૈવેદ્ય-ફળાદિ અષ્ટપ્રકારી પૂજા કરવી. * નિસાહિ બોલીને ચૈત્યવંદન કરવું, ચૈત્યવંદન વખતે કોઈ પાટલો લઈ લે કે સાથિયો ભૂંસી કાઢે તો વાંધો નહીં. છેલ્લે ઘંટનાદ અને શંખનાદ કરી ભગવાનને પૂંઠ ન થાય તેમ બહાર નીકળવું. પ્રશ્ન : પૂજા કરનારની સામે ઊભા થતા વિવિધ પ્રશ્નોના | સમાધાનો શું? જાણવા છે ? સિદ્ધચક્રજીની પૂજા કર્યા પછી એ જ કેસરથી અરિહંત ભગવાનની પૂજા કરવામાં દોષ નથી. પૂજારીને નોકર નહિ, પ્રભુના ભક્ત તરીકે સાચવો. પ્રભુદર્શન અને પૂજન ભવરોગને મટાડી મોક્ષ સુખ આપે છે. માટે “પ્રભો ! મને મોક્ષ આપ’ એવી સુંદર ભાવના ભાવો. અષ્ટમંગલ આલેખવાના છે, એની પૂજા નથી. માટે છેલ્લે ચાર આંગળા વાટકીમાં બોળી એક-એક મંગલ પર હું આલેખું છું એવા ભાવથી ફેરવો. ફણા ભગવાનનું અંગ જ છે માટે નવાંગી પૂજામાં આવી જાય. નવાંગી સિવાય કેસરના ટપકાં ન કરો. ભગવાનનું રૂપ વધે તેમ આંગી કરો. પંચ ધાતુના પ્રતિમાજને એક હાથથી ન પકડો, બન્ને હાથમાં બહુર્માનથી લ્યો. પ્રભુ પક્ષાલને માથે ચઢાવો અને આંખે લગાડો, બાકી આખા શરીરે માલિશ ન કરો. ગભારામાં કોઈ પૂજા કરતું હોય તો એને ઉતાવળ ન કરાવો. ઘણા ભગવાનની અવ્યવસ્થિત અને જલદી જલદી પૂજા કરવા ક્રિયાનું અજીર્ણ પારકી નિંદા છે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy