________________
રત્નત્રયી ઉપાસના
કોરા પાન ૧૧, વરખ, કંકુ, દૂધ, પાણી બરાસ, કેસર, ઘી સિંહાસન, છોડ ઉભી દીવી, ફાનસ, ધુપિયુ, આરતી, મંગળદીવો, કુંડી-૧, થાળી-૨, વાડકી-૨, ચામર, પંખો, દર્પણ, થાળી, ડંકો કળશ-૩, ડોલ-૧
TO 5
ધર્મ ધર્મનું પ્રાકટ્ય સત્યથી થાય છે. સત્ય, ધર્મ અને ન્યાય લગભગ એકબીજાના પર્યાય કહેવાય. સત્ય એ જ ધર્મ, ધર્મ એ જ સત્ય. સત્ય તથા ધર્મનો અવિરોધ એનું નામ તો ન્યાય કહેવાય. ધર્મની સ્થાપના કે ધર્મનો પ્રચાર પાઠ-પૂજા, હોમ-હવન કરવાથી નથી થતાંપણ સત્યની સ્થાપનાથી થાય છે. સત્યની સ્થાપના વિનાનાં બાકીનાં બધાં કર્મકાંડો એકડા વિનાનાં મીંડાં જેવાં છે. ધર્મ એટલે વ્યક્તિની અંદર રહેલા સદગુણોને વિકસિત કરી પ્રગટ કરવાની પ્રક્રિયા. ધર્મના આશ્રયે બધા સદ્ગણો છે સત્ય, દયા, તપ, દાન, ત્યાગ, વૈરાગ્ય, ઉદારતા, સહિષ્ણુતા, ન્યાયપ્રિયતા વગેરે વગેરે. ધર્મ એટલે જીવન-સાધના અને જીવન સાધના એટલે જીવનનો વિકાસ. ધર્મવૃદ્ધિ માટે એક મહત્ત્વનું તત્વ કારણભૂત છે અને તે છે શીલ. શીલ એટલે માનવીય જીવનનાં ઉચ્ચ મૂલ્યો, આદર્શો અથવા શુદ્ધાચારનું નિષ્ઠાપૂર્વક જતન કરવું તે. ધર્મ એ વિશ્વનું સર્વાધિક પ્રાણદાયી તત્ત્વ છે. જેમ પ્રાણવાયુ વિના જીવનની કલ્પના ના કરી શકાય, તેમ ધર્મ વિના પણ પ્રજાજીવનની કલ્પના ના કરી શકાય. પ્રજાનું ધારણ કરે તે ધર્મ કહેવાય. પ્રજાનું ધારણ કરવાનો અર્થ છે પ્રજા સુરક્ષિત રહે, સંપન્ન રહે, સુખી રહે.
અહીંયા જે છોડીને જ જવાનું છે તેના માટે આટલી બધી મહેનત શું કામની.