SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ સાચુ કરીએ પ્રતિક્રમણ માટે છે. નિર્મળ સમ્યગ્દર્શનના સ્વામી દેવ-દેવીઓને શાસનરક્ષા કાજે પૂજ્ય સાધુભગવંતો દ્વારા પણ સ્નેહે સ્મરવા યોગ્ય છે. હવે.. છ આવશ્યકની શરૂઆત કરવાની હોવાથી નજીકના મંગલ as.... નમુન્થુણં અને પછી ભગવાન્હમ્ વિગેરે ચાર ખમાસમણાંથી પ્રભુ તથા આચાર્ય, ઉપાધ્યાય, સાધુને વાંદવાના છે. અને શ્રાવકોએ ત્યારબાદ ‘‘ઈચ્છકારી સમસ્ત શ્રાવકને વાંદુ'' તેમ બોલવું જોઈએ. (એમ ધર્મસંગ્રહમાં કહેલું છે.) જેથી અઢીદ્વીપના સમગ્ર શ્રદ્ધા-વિવેક-ક્રિયાયુક્ત શ્રાવકોને વંદના કરાય છે. દેવસીય પડિકકમણે ઠાઉં: આ સૂત્ર બીજ છે. સૂત્રો બોલવાની પરમીશન તથા લાયસંસ આ સૂત્ર દ્વારા જ મળી શકે છે. જમણો હાથ ચરવળા ઉપર પુંજીને સ્થાપીને આ સૂત્ર બોલવાનું છે. અને દિવસમાં કરેલા દુષ્ટ ચિંતનનું, દુષ્ટભાષણનું અને દુષ્ટચેષ્ટા વિગેરેનું મિચ્છામિદુક્કડં આપવાનું છે. કરેમિ ભંતે : જે શાશ્વતું સૂત્ર છે. ચારિત્રચારની શુદ્ધિ માટે આ સૂત્ર બોલવાનું છે. પરમાત્મા પણ દિક્ષા લેતી વખતે આ સૂત્ર બોલે છે પણ તેમાં ‘ભંતે’ શબ્દ બોલતા નથી ! અહીંથી સામાયિક નામનું પ્રથમ આવશ્યક શરૂ થયું. (ચિત્તને સમભાવમાં લાવ્યા બાદ કે લાવવાની ભાવનાથી જ...પ્રતિક્રમણ શુદ્ધ થઈ શકે.) અહિં સમતા જ લાવવાની છે એવું નિશ્ચિત થાય છે. ઈચ્છામિઠામિ : જ્ઞાન, દર્શન અને ચારિત્રના આચારની શુદ્ધિ માટે. મન-વચન-કાયાથી જે દોષો થયા હોય તે માટે કાઉસ્સગ્ગની ઈચ્છા કરી છે. નાણસ્મિનો કાઉસ્સગ્ગ : તસ્સઉત્તર, અન્નત્ત્વ બોલ્યા બાદ નાણમ્મિની આઠ (૮) ગાથાનો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે. નાણમ્મિ એટલે મીની અતિચાર. પાંચ આચારોની વાત નાણમ્મિ સૂત્રમાં કરવામાં 25 Tatil de ખાતે વકત ‘સ્વાદ’ નહીં, ખાને કે બાદ ‘પ્રમાદ’ નહીં, તો જીવન ‘બરબાદ’ નહીં.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy