SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિ નંદીષણ STહન્દ્ર 13 ઈદ્રિયો સામે સંગ્રામે સર્વ શકિતથી ઝૂમે. એ તો ભૂલી દેહનું ભાન પળપળ પામે સાચું જ્ઞાન. મન મજબૂત બનાવીને બાળે મોહ-વિકાર સ્મરણે ચઢે પ્રભુ વીરના વચનો વારંવાર, કોમળ કાયા કષ્ટથી કીધી ખૂબ કઠોર તોયે ચંચળ ચિતડું થાતું સાવ નઠોર ! ઘેલું થા મા, ઘેલું થા મા ! ઓ રે મનડા, ઘેલું થા માં ! મોહ થકી મેલું થા મા ! ખૂબ દમી દમી સુકવી કાયા તો ય ન કેડો મૂકતી માયા અણગમતું ગીતડું ગા મા ! ઘેલું થા મા ! જોગ મહીં છે દોહ્યલું જીવવું ભોગ થકી તો બહેતર મરવું જાવું નથી ત્યાં જ મા ! વ્યાકુળ ઉર મુનિ તણું કરતું લાખ વિચાર; અપજશ પામી જીવવું એ જીવતર ધિક્કાર !' પહાડ ઉપર ઊંચે ચઢ્યા કરી દીધો નિરધાર; આપઘાતને કારણે મુનિ થયા તૈયાર ! જાગ્યો જાગ્યો આતમરામ આ તો કાયરનું છે કામ દુનિયામાં લજવાશે રે મહાવીર કેરું નામ ! આપઘાતથી કમ છૂટે ના પાપ કર્યાથી પાપ ખૂટે ના ગ્રહો ચરણ પરમેષ્ઠિનાં, આપે સિદ્ધિ અપાર, જન્મ-મરણ ફેરા ટળે આપે સિદ્ધિ સાર.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy