SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થની સ્તુતિ ( ST ) * 11 શ્રી શત્રુંજય તીર્થની સ્તુતિઓ વિદ્યાધરોને ઈન્દ્રદેવો જેહનો નિત પૂજતા દાદા સીમંધર દેશનામાં જે હના ગુણ ગાવતા, જીવો અનંતા જેહના સાન્નિધ્યથી મોક્ષે જતા તે વિમલ ગિરિવર વંદતા મુજ પાપ સહુ દૂર થતા. ૧ પખંડના વિજયી બનીને ચક્રીપદને પામતા ષોડશ કષાયો પરિહરીને સોલમાં જિન રાજતા, ચૌમાસ રહી ગિરિરાજ પર જે ભવ્યને ઉપદેશતા, તે શાંતિજિનને વંદતા મુજ પાપ સહુ દૂર થતા. ૨ જેનું ઝરતું ક્ષીર પુણ્ય મસ્તકે જેને પડે તે ત્રણે ભવમાં કર્મ તોડી સિદ્ધિ શિખરે જય ચડે, જ્યાં આદિ જિન નવ્વાણું પૂણર આવી વાણી સુણાવતા રાયણ પગલા વંદના મુજ પાપ સહુ દૂર થતા. ૩ જે આદિજિનની આણ પામી સિદ્ધગિરિએ આવતા અણસણ કરી એક માસનું મુનિ પંચક્રોડશુ સિદ્ધતા, જે નામથી પુંડરિકગિરિ એમ તિહું જગત બિરાદાવતા, પુંડરિક સ્વામી વંદના મુજ પાપ સહુ દૂર થતા. ૪ જે રાજરાજેશ્વર તણી, અદ્ભૂત છટાએ રાજતા શાશ્વતગિરિના ઉચ્ચશિખરે નાથ જગના શોભતા, જેઓ પ્રચંડ પ્રતાપથી જગમોહને નિવારતા તે આદિ જિનને વંદના મુજ પાપ સહુ દૂર થતા. ૫ શત્રુંજય એટલે... શત્રુંજય એટલે દર્શન શુદ્ધિ કરવાનો આધ્યાત્મિક બાથ, શત્રુંજય એટલે જંબોજેટ કરતાં પણ અસંખ્યગણી ઝડપે આત્માને શિવપદે પહોંચાડનાર, શત્રુંજય એટલે કથીર બનેલા આત્માને કંચન બનાવનાર અલૌકિક પારસમણી, શત્રુંજય એટલે ધર્મનો ઘમઘમતો વ્યાપાર કરવાનું દુષ્કર માયા ત્યાગ છે, તે પણ સુકર થાય; જાપ જપતાં નવકારનો, માયા થાય વિદાય.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy