________________
૮૧૪
- રત્નત્રયી ઉપાસના
સિદ્ધ ભગવાનનું, આપના શાસનમાં રક્ત થયેલ મુનિવરોનું અને આપના શાસનનું અંતઃકરણથી શરણ પામ્યો છું.
ક્ષમયામિ સર્વાન, સર્વાન, સર્વે સામ્યતુ તે મયિ, મૈત્ર્યસ્તુ તેષુ સર્વેષ, ત્વદેક શરણસ્ય મે. ૬ હે વીતરાગ ભગવાન! હું ચોરાશી લાખ યોનિના સર્વ જીવોને ખમાવું. છું. અને સર્વ જીવો મને ખમો, આપના શરણમાં રહેલાં મને સર્વ જીવોપર મૈત્રી હો.
એકોડહં નાસ્તિ મે કશ્ચિન્ન-ચાહમપિ કમ્યુચિ
ત્વદંધ્રિશરણસ્થસ્ય, મમ દૈન્ય ન કિંચન. ૭ હે વીતરાગ ભગવંત ! હું એકલો જ છું, મારું કોઈ નથી, હું પણ કોઈનો નથી, આપના શરણમાં રહેલો હોવાથી મને જરાય દીનતા નથી.
યાવન્નાખોમિ પદવી, પરાં ત્વદનુભાવનામ; તાવન્મયિ શરમ્યત્વે, મા મંચ શરણંશ્રિતે. હે પ્રભુ! આપની કૃપાથી શ્રેષ્ઠ જે મહાપદવી અથવા મુક્તિ જ્યાં સુધી ન પામું ત્યાં સુધી તમારા શરણે આવેલા મારા પર વાત્સલ્યભાવ ન છોડશો.
અંતિમ સાધના શ્રી જિન કથિત જ્ઞાન-દર્શન-ચારિત્ર તથા વીર્યની આરાધના તત્પર મારો અંતરાત્મા એક જ છે. એ જ મારો છે. આ સિવાય સર્વને મેં ત્યજી દીધાં છે. રાગ-દ્વેષ મહામોહ અને કષાયને ધોઈને હું અત્યારે નિર્મલ બન્યો છું. આ કારણે હું સાચો છું વળી સર્વ જીવો મને ક્ષમા આપો. કારણ કે હું સર્વ જીવોને ખમાવું છું. મારો આત્મા હાલ શાન્ત
દ્રવ્ય વિના ભાવ ન પ્રગટે, ભાવ વિના દ્રવ્યસમર્પણની ઈચ્છા ન જાગે.