SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છીય છે શ્રમણ સંમેલન વિ.સં. ૨૦૭૨ ૭૨) તપ-ઉજવણીમાં વિવેક ઉપધાન-અઠ્ઠઈ-માસક્ષમણાદિ તપની પૂર્ણાહુતિ બાદ આજે ઘણે ઠેકાણે એવું જોવામાં આવે છે, કે તે જ નિમિત્તને પામીને સાધર્મિક વાત્સલ્ય કે સાધર્મિક ભક્તિને બદલે પાર્ટીઓ ગોઠવવામાં આવે છે, તે પણ રાત્રિસમયે, હોટલ-એ.સી. હૉલ-રીસોર્ટ-ઘાસવાળી ભૂમિ વગેરેમાં રખાય છે અને ભક્ષ્યભટ્સનો કોઈ વિવેક રખાતો નથી. આ બધું જ કર્મનિર્જરાને બદલે કર્મબંધનું કારણ બનતું હોવાથી તેમજ જૈનશાસનની, તપધર્મની અને તપસ્વીની પણ નિંદાઅપભ્રાજનાનો હેતુ હોવાથી સદંતર બંધ કરવા યોગ્ય છે. 6% 6 -: વીર્વાચાર: ભૂમિકા આપણો આત્મા અનંતવીર્યનો સ્વામી છે. અત્યારે એ અનંતવીર્યનો અનંતમો ભાગ જ આત્મા પ્રગટ કરી શક્યો છે. જેટલું પણ આત્મવીર્ય પ્રગટે છે, એ પણ બહુધા આત્મા માટે જ બાધક બને તેવા સ્થાનોમાં વપરાય છે. આત્માનું વીર્ય આત્મા માટે સાધક એવા જ્ઞાનાચારાદિ રૂપ જૈનશાસન માટે વપરાય અને તે દ્વારા અનંતવીર્ય પ્રગટ થાય તેનું સાધન આ વીર્યાચાર છે. મન-વચન-કાયાને સમ્ય રીતે પ્રવર્તાવવા રૂપ ત્રણ પ્રકારના વીર્યાચારના સમ્યપાલન અને વિરાધનાત્યાગ માટેના નિર્ણયો : 6 % ૭૩) સાધુ-સાધ્વીજી વિચરણ . વર્તમાનમાં તપાગચ્છમાં અંદાજે ૮૦૦૦ સાધુ-સાધ્વીજી ભગવંતોની વિરાટ સંખ્યા છે. તેમાંથી કુલ માત્ર ૨૦૦ સાધુ ભગવંતો અને ૮૦૦ સાધ્વીજી ભગવંતો માટે જો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ છોડીને બાકીના ૨૨ જેટલા રાજ્યોમાં વિચરણની ગોઠવણ થાય, આ દરમ્યાન સુરક્ષાદિની યથાયોગ્ય વ્યવસ્થા શ્રાવકસંઘ દ્વારા ગોઠવાય, તો પ્રાયઃ દરેક ગામોના જૈનોનું જૈનત્વ ટકે, જિનમંદિર ઉપાશ્રયાદિ જિનશાસનની સ્થાવર-જંગમ સંપત્તિનું I/૪
SR No.006085
Book TitleV S 2072 Year 2016 Tapagacchiya Shraman Sammelan Shastra ane Shastranusari Suvihit Parapmparanusar Sarva Sammat Nirnayo
Original Sutra AuthorN/A
AuthorTapagacchiya Shramanopasak Shree Sangh
PublisherTapagacchiya Shramanopasak Shree Sangh
Publication Year2016
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy