SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છીય હું ઉપાશ્રયાદિ ધર્મસ્થાનોમાં તો તેવો વેશ પહેરીને ન જ આવવું જોઈએ. શ્રીસંઘોએ પણ ઉભટવેશ પહેરનારાના પ્રવેશ પર પ્રતિબંધ માટે બોર્ડ મૂક્વા સાથે શ્રમણ સંમેલન ' ચુસ્ત બંદોબસ્ત ગોઠવવો જોઈએ. વિ.સં.૨૦૭૨ ૬૪) બહેનોમાં માસિક ધર્મ આપણા શાસનમાં પળાતી મર્યાદા મુજબ માસિકધર્મમાં આવેલી બહેનો માટે ૭૨ કલાક સુધી જિનદર્શનાદિ ધર્મકાર્યો તેમજ ગૃહકાર્ય કરવું, ભણવું, રાંધવું, ક્યાંય સ્પર્શ કરવો વગેરેનો નિષેધ છે, માટે બહેનોએ માસિકધર્મ અવશ્ય પાળવો જોઈએ. ન પાળવાથી અપવિત્ર પુલો ગૃહાદિને અપવિત્ર બનાવે છે, જે પવિત્ર ભાવો ઉત્પન્ન થવામાં બાધક બને છે. ધાર્મિક સ્થાનો અને અનુષ્ઠાનોમાં કામ કરવા માટે લવાતી બહેનોમાં પણ આ વિવેક જળવાય તે જરૂરી છે. gener Sationary છે. ૬૫) ધાર્મિકપ્રસંગોની મર્યાદા ધાર્મિક પ્રસંગોમાં રાત્રિભોજન, અભક્ષ્ય ભોજન, બુકે, એ.સી., બરફ, આઈસક્રીમ, ઠંડાપીણા વગેરેનો ઉપયોગ ન જ થવો જોઈએ. તે જ રીતે જૈનોના લગ્નાદિ પ્રસંગોમાં પણ રાત્રિભોજન કરાવવું, રિસેપ્શન આદિ કાર્યક્રમો રાખી અભક્ષ્ય ખાણી-પીણી અને નાચગાનના જલસા કરાવવા વગેરે બિસ્કુલ ઉચિત નથી. શ્રાવકના ઘરના લગ્ન વગેરે પ્રસંગો પણ શ્રાવકજીવનને અનુરૂપ હોવા જોઈએ. ious દ૬) ધાર્મિક પ્રસંગોમાં અનિષ્ટ જમણવારો-વરઘોડાઓ વગેરેમાં હાલ ડિસ્પોઝેબલ ગ્લાસ-ડીશ વગેરેનો વપરાશ શરૂ થયો છે. સંમૂર્છાિમ પંચેન્દ્રિય વગેરે જીવોની વિરાધના, શાસનની અપભ્રાજના આદિ અનેક દૃષ્ટિકોણથી એ તદ્દન અનુચિત છે, વળી વરઘોડાઓ દરમ્યાન શરબતી પીણાં પીધાં બાદ એંઠાંમોતે જ બોલવા-ચાલવાનું થાય છે તે યોગ્ય નથી, કારણકે તેમાં જ્ઞાનની, ગુરુની અને પ્રભુની આશાતના થાય છે. ૩૭ની
SR No.006085
Book TitleV S 2072 Year 2016 Tapagacchiya Shraman Sammelan Shastra ane Shastranusari Suvihit Parapmparanusar Sarva Sammat Nirnayo
Original Sutra AuthorN/A
AuthorTapagacchiya Shramanopasak Shree Sangh
PublisherTapagacchiya Shramanopasak Shree Sangh
Publication Year2016
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy