________________
શ્રમણ
છે
સ
તપાગચ્છીય હું સીધી વિરાધના થાય તેવી મલ વિસર્જન પદ્ધતિનો ઉપયોગ ન જ કરી શકે. સંમેલન *
પારિષ્ઠાપનિકા અંગે નીચેની વિગત અવશ્યપણે ધ્યાનમાં લેવી.:વિ.સં.૨૦૭૨
અનુચિત રીતે જ્યાં ત્યાં પરઠવવાના કારણે લોકોને ધર્મ પ્રત્યે અરુચિ થવી, વસતિ ન મળવી, ધર્મની નિંદા થવી વગેરે અનેક પ્રશ્નો સર્જાય છે. આથી તેવા પ્રશ્નો પેદા ન થાય, તેવી કાળજીપૂર્વક પરાઠવવાનો ઉપયોગ અવશ્યપણે રાખવો. શ્રીસંઘોએ ઉપાશ્રયમાં માનું પરાવવા માટે મોટી ખુલ્લી જગ્યા રાખવી. છેવટે પ્રમાણસરની પરઠવવા માટેની સ્પેશ્યલ કોલસીવાળી કુંડીઓ જે હાલમાં ચાલુ થઈ છે તે રાખી શકાય. અને અંડિલભૂમિ માટે પણ સુયોગ્ય સ્થળે ડોમ બાંધવા, વાડા કરવા વગેરે યોગ્ય વ્યવસ્થા ગોઠવી શકાય. આવી વ્યવસ્થા દ્વારા અનેક સ્થળોએ હાલમાં આ પ્રશ્ન હલ થઈ શક્યો છે.
પ૩) ડોળીનો ઉપયોગ
કોઈ પણ સમુદાયના સાધુ-સાધ્વીજી ભગવંતને અપવાદરૂપે ડોળી વાપરવી પડે તો ડોળીવાળાના પગાર આદિ માટે સમુચિત વ્યવસ્થા તે-તે સમુદાયના નાયકોએ તથા શ્રીસંઘે કરવી જોઈએ. જેથી સાધુ-સાધ્વીજી ભગવંતોને અનિચ્છાએ વહીલચેર આદિ વાપરવી પડે નહિ.
૫૪) શ્રમણવર્ગનો વિજાતીય પરિચય.
બ્રહ્મચર્ય મહાવ્રત એ શ્રમણજીવનનું નિરપવાદ મહાવ્રત છે. સાધુ-સાધ્વીજી ભગવંતોના બ્રહ્મચર્યની વાડની સુરક્ષા માટે તેઓએ એકાંતમાં વિજાતીય સાથે વાતચીત કરવી ઉચિત નથી. દિવસના સમયે પણ પ્રવચન સમય સિવાય સાધ્વીજી ભગવંતો અને બહેનો માટે સાધુભગવંતોના ઉપાશ્રયમાં પ્રવેશ વર્ય છે તેથી ઉપાશ્રયાદિમાં અજવાળું થયા પૂર્વે વિજાતીય વ્યક્તિએ પ્રવેશ કરવો નહિ તેમજ અંધકાર પછી ઉપાશ્રયાદિમાં રહેવું નહિ. આ જ મર્યાદા ભાઈઓએ સાધ્વીજી ભગવંતોના ઉપાશ્રયાદિમાં જાળવવી.
I[૩૪]l: