SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છીય છે. શ્રમણ ધર્મ પમાડવો તે ધર્મોપદેશકનું મુખ્ય કર્તવ્ય છે. સાધુએ ધર્મનો ઉપદેશ આપવાનો છે, તેથી આદેશ આપી કાર્ય કરાવવાં તે સાધુનો ધર્મ નથી. ઉપદેશકોએ ટ્રસ્ટીઓ અને અન્ય કાર્યકરો સાથે સૌમ્ય વ્યવહાર કરવો ખૂબ હિતકર છે. સંમેલન માં વિ.સં.૨૦૭૨ Managant ૩૯) હિસાબ જાહેર કરવો દરેક સંઘના ટ્રસ્ટીઓએ ઓછામાં ઓછો વર્ષમાં એકવાર આવક-જાવકનો હિસાબ પૂરેપૂરો શ્રીસંઘ સમક્ષ જાહેર કરવો જરૂરી છે. જેથી કોઈ પણ જાતની ભૂલ થતી હોય તો સુધરે, વહીવટ પારદર્શી રહે, શ્રીસંઘમાં વિશ્વાસ વધે. ૪૦) ધર્મદ્રવ્ય ઋણ-નિવારણ શ્રાવકો અને શ્રીસંઘ ધર્મદ્રવ્યના દેવાદાર ન બને કે ભક્ષણ, વિનાશ, ઉપેક્ષા આદિ મહાદોષોમાં ન પડે તે માટેનું કેટલુંક માર્ગદર્શન - ૧) શ્રાવકોએ પોતાની શક્તિ અનુસાર જ ચઢાવાઓ બોલવા. ૨) ચઢાવાની રકમ તાત્કાલિક ભરી દેવી. “ચઢાવાની મૂળ રકમ ન ભરતાં કેવળ વ્યાજ જ ભરતા રહેવું’ આ રીત ઉચિત નથી. રોજીંદા નાના-નાના ચડાવા અંગે નીચે મુજબ કરી શકાય :- પેઢીમાં શ્રાવકોએ પોતાની અમુક મૂડી જમા કરાવી ખાતું ચાલુ કરાવી શકાય. નાના-મોટા ચડાવા બોલાય ત્યારે પોતાના ખાતામાંથી તરત જ રકમ ભરાઈ જાય જેથી પાછળથી રકમ ભરવી ભૂલી ન જવાય અને દોષમાં ન પડાય, જિનભક્તિ આદિનો લાભ મળતા અગાઉ જ રકમ ભરાઈ જાય. પેઢીના ચોપડામાં આનો હિસાબ રહે અને થોડા-થોડા સમયે નવી નવી રકમ જમા કરાવતા રહી સરભર કરી શકાય. ૫) ઉપાશ્રયાદિ ધાર્મિક સ્થાનો માટે દેવદ્રવ્ય તેમજ સામાજિક-સાંસારિક વાડી આદિ સ્થાનો માટે દેવદ્રવ્ય કે સાધારણદ્રવ્ય આદિ ધર્મદ્રવ્ય લોનરૂપે ન લઈ શકાય. రంగనం 3) a sala Il૨૯ો
SR No.006085
Book TitleV S 2072 Year 2016 Tapagacchiya Shraman Sammelan Shastra ane Shastranusari Suvihit Parapmparanusar Sarva Sammat Nirnayo
Original Sutra AuthorN/A
AuthorTapagacchiya Shramanopasak Shree Sangh
PublisherTapagacchiya Shramanopasak Shree Sangh
Publication Year2016
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy