________________
કોમન-સહુના માટે ઉપયોગી કેન્દ્રીય વ્યવસ્થા સૂચવાઈ છે. જેમાં આર્થિક દાન, ઠરાવમાં નિર્દિષ્ટ પાંચ પૂ. ગુરુભગવંતોની પ્રેરણાથી મળશે. વિ.સં.૨૦૭૩ ની કાર્તિકી પૂર્ણિમા બાદ, વિહાર પૂર્વે પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોએ નીચેના સરનામે સંપર્ક કરવો :
પંડિત શ્રી વસંતલાલ મફતલાલ દોશી
B-004, પુષ્કર એપાર્ટમેન્ટ નં.4, વીતરાગ સોસાયટીના દેરાસર સામે, પી.ટી. કોલેજ રોડ, પાલડી, અમદાવાદ-380007. • મો. 9925138049 -। ઠરાવ નં.૩૬ની સમજ -
વિહારમાં પૂ. સાધુ-સાધ્વીજીભગવંતોની સેવામાં આવતી વ્યક્તિઓ ક્યારેક વ્યસની હોય તો સમસ્યાઓ ઉભી કરે, તો ક્યારેક બેજવાબદારપણે અધવચ્ચે મૂકીને જતા રહે તો પણ સમસ્યાઓ ઉભી કરે. કેટલાય ગુરુભગવંતોને આવો અનુભવ હોવાથી, એક સેન્ટ્રલ જવાબદાર એજન્સીનો નિર્દેશ આ ઠરાવમાં કરાયો છે. તે માટે પણ વિ.સં.૨૦૭૩ થી પંડિત શ્રી વસંતલાલ દોશીના પૂર્વોક્ત સરનામે સંપર્ક કરવો.
-૧ ઠરાવ નં.૩૭ ની સમજ 1
વિહારની અસમર્થતા આવે અને સ્થિરવાસ ફરજિયાત બને તેવા સમયે સાધુસાધ્વીજીનાં જીવનમાં પ્રશ્નો સર્જાતા હોય છે. આ જ રીતે એકાકી-વૃદ્ધ-ગ્લાન સાધુસાધ્વીજીના પણ મોટા પ્રશ્ન હોય છે. આમાંથી જ વ્યક્તિગત સ્તરના ઉપાશ્રયોની પ્રવૃ ત્તિ વધી રહી છે. જે ભવિષ્યમાં મોટા દૂષણરૂપ બને તેમ છે. એથી આ સમસ્યાના સાર્વત્રિક સુઝાવરૂપે સંમેલને આ ઠરાવ દ્વારા અલગ અલગ છ સ્થળે વિશ્રામણાવ્યવસ્થા અને તેની સાથે જ શ્રુતાભ્યાસની વ્યવસ્થા કરવાનો નિર્ણય કર્યો છે. હવેથી દરેક પૂ. ગચ્છાધિપતિઓ પોતાના સમુદાયમાં વ્યક્તિગત ઉપાશ્રયોની પ્રવૃત્તિ ચોકસાઈથી બંધ કરાવે તો આ ઠરાવ વધુ સાર્થક નીવડશે.
-૧ ઠરાવ નં.૩૮ ની સમજ -
પૂજનીય સાધુ-સાધ્વીજીભગવંતો જૈન સંઘની સૌથી મોટી સંપત્તિ છે. છેલ્લા વર્ષોમાં એ સંપત્તિ અકાળે વિનષ્ટ થવાની અનેક દુર્ઘટનાઓ અકસ્માતોનાં માધ્યમે બની છે. ખાસ તો જીવનભર સંયમની યથાશક્ય શ્રેષ્ઠ સાધના કરનાર ગુરુભગવંતો અકસ્માત્ સમયે જે કરુણ પરિસ્થિતિનો ભોગ બને છે એ હૃદયદ્રાવક હોય છે. એનાં શક્ય નિવારણ માટે આ ઠરાવમાં સૂચવાયેલ નિયમોનો અમલ મુખ્યત્વે શ્રમણ-શ્રમણીઓએ સ્વયં કરવાનો છે અને ગૃહસ્થવર્ષે તેમાં યથાશક્ય સહાયક બનવાનું છે.
૪૪ વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન...