________________
• ઠરાવ નં.૨૨ની સમજ - જે સમયે વિપુલ સંખ્યામાં અલગ અલગ ગ્રન્થો ઉપલબ્ધ ન હોવાથી શુદ્ધિઅશદ્ધિના નિર્ણયોમાં પારાવાર સમસ્યાઓ હતી, સંપાદનયોગ્ય ગ્રન્થની એકાદ પ્રત માંડ હોય અને તે ય ખંડિત હોય ઃ આવી આવી સ્થિતિમાં જહેમત લઈને જેમણે તે તે ગ્રન્થનું પ્રથમ સંપાદન-સંશોધન-પ્રકાશન કર્યું હોય તેમની જહેમતને-પુરુષાર્થને ઉચિત ન્યાય-સન્માન મળે તે આ ઠરાવનું હાર્દ છે.
• ઠરાવ નં.3ની સમજ - દેવદ્રવ્ય એક એવો વિભાગ છે કે જેનો આવકસ્રોત દરેક જૈન સંઘમાં પ્રતિવર્ષ ચાલુ જ હોય છે. ઘણા વિવેકી સંઘો પોતાની વાર્ષિક જરૂરિયાત સિવાયની તમામ રકમ અલગ અલગ યોગ્ય સ્થાનોમાં જીર્ણોદ્ધારાદિમાં તરત આપી દે છે. દરેક વહીવટદારો આ જ માર્ગ અપનાવે તે માટે આ ઠરાવના પૂર્વાર્ધમાં ભારપૂર્વક પ્રેરણા કરાઈ છે. આ ઉપરાંત લાંબા કાળના હપ્તા સાથેની ઉછામણી-દેવદ્રવ્યાદિની રકમ જે બેન્કમાં હોય તેમાં ટ્રસ્ટીઓના ખાતા જેવી બાબતોનો નિષેધ કરાયો છે. આ ત્રણે ય બાબતો અનેક અપાયોથી મુક્તિ અપાવતી હોવાથી આ ઠરાવનો અમલ દરેક વહીવટકર્તાએ અવશ્ય કરવા જેવો છે.
ઠરાવ નં.૨૪ની સમજ ા. પૂર્વના રાજાશાહી યુગમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય-જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ. વગેરે મહાપુરુષોએ રાજવીઓને પ્રભાવિત કરીને રાજસત્તા દ્વારા અહિંસા પ્રવર્તન-ધર્મરક્ષાદિ કાર્યો સુપેરે કરાવ્યા હતા. હાલની લોકશાહી શાસનવ્યવસ્થામાં એ હદે ધર્મકાર્યો ભલે શક્ય ન હોય, પરંતુ રાજકીય વર્ચસ્વવાળી વ્યક્તિઓ દ્વારા ધર્મસ્થાનોને નડતી ઘણી સમસ્યાઓ હલ થઈ શકે છે અને અમૂક અંશે ધર્મ-સંસ્કૃતિની રક્ષા પણ થઈ શકે છે. આ હેતુ માટે જ જરૂરી રાજકીય વગ કેળવવાનો નિર્દેશ આ ઠરાવમાં છે. સાથે જ શ્રમણમર્યાદાનો પણ નિર્દેશ છે. એક વાત એ પણ ધ્યાનમાં લેવી કે કોઈ પણ ધર્મસ્થાનમાં સક્રિય રાજકીય પ્રવૃત્તિ કરવી તે કાનૂની અપરાધ છે.
ગ ઠરાવ નં.૫ની સમજ - જ્યાં જૈન વસતિ નહિવતું હોય કે જરા ય ન હોય એવાં આપણાં તીર્થોની સલામતીનો એક મુખ્ય આધાર આસપાસની વસતિ છે. એ વસતિને કઈ રીતે આપણી સહયોગી કરી શકાય તેના અસરકારક ઉપાયો આ ઠરાવમાં દર્શાવ્યા છે.
૪૦, વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન..