________________
એ આપણે ત્યાંના અને પૂજારીઓમાં લગભગ ન હોય એ સ્વાભાવિક છે. શ્રાવકો તો પૂજાદિ ભક્તિ કરે જ. ઉપરાંત પૂજારીની જવાબદારીઓ પણ જૈન વર્ગ સંભાળે તો દેરાસરોની ઘણી ઘણી આશાતનાઓ દૂર થાય, મોટાં તીર્થોને યુનિયન' ના પ્રશ્નો ન નડે અને તેવા પ્રકારના મધ્યવર્ગીય જૈનોને ટેકો પણ મળે. આ માટે આ ઠરાવ દ્વારા સંમેલને દિશાસૂચન કર્યું છે.
ઠરાવ નં.૧૯ની સમજ - જૈન શ્રમણજીવન આચારચુસ્ત હોવાથી શ્રમણો સામાન્યતઃ વાહનનો ઉપયોગ વજર્ય ગણે છે. તેઓનો સંયમપૂત દેહ કાલધર્મ બાદ વાહન દ્વારા અન્યત્ર લઈ જવાય તે એમના ત્યાગી-સંયમી જીવનને જરા ય અનુરૂપ નથી. કાલધર્મ બાદ એ દેહને વિશિષ્ટ વિધિ દ્વારા વોસિરાવી દઈ શ્રાવકોને સુપરત કરાય છે એ વાત જેટલી સત્ય છે એટલી જ સત્ય વાત એ પણ છે કે સમસ્ત સંઘ એ દેહને જે તે ગુરુભગવંતરૂપે જ નિહાળે છે. માટે જ એની ઉછામણી આદિ બોલે છે. સંસારત્યાગી ગુરુભગવંતોના પાર્થિવ દેહને ક્વચિત વાહન દ્વારા અન્યત્ર લઈ જવાની બનતી ઘટના પર સદંતર બંધી મૂકવા માટે શ્રમણસંમેલને આ શિક્ષાત્મક ઠરાવ દ્વારા સમુચિત કદમ ઉઠાવ્યું છે.
• ઠરાવ નં.ની સમજા શ્રમણજીવન ગુરુષારતન્યપ્રધાન છે. ગુરુભગવંતો દ્વારા હિતબુદ્ધિથી થતી સારણાવારણાદિ પ્રવૃત્તિ સહર્ષ સ્વીકારીને શ્રમણ-શ્રમણીએ પ્રસન્નતાપૂર્વક ગુરુકુલવાસમાં રહેવું જોઈએ. આમ છતાં કાળબળ-અનાદિ અભ્યાસ વગેરે કારણે નાની-મોટી બાબત બને ત્યારે તરત સમુદાયપરિવંતન જેવાં પગલાં ન લેવાઈ જાય અને ગુર્વાજ્ઞાપારતન્યનું શિસ્તનું વાતાવરણ ટકી રહે તે માટે આ ઠરાવમાં ઊંડાણપૂર્વક મર્યાદાઓ દર્શાવાઈ છે. સાથે જ ખરેખર પ્રામાણિક સમસ્યા જણાય ત્યાં પ્રવરસમિતિ દ્વારા નિર્ણયનો વિકલ્પ રખાયો છે અને વિપરીત વર્તન થાય ત્યાં શિક્ષાત્મક મર્યાદા પણ રખાઈ છે.
• ઠરાવ નં.૧ની સમજ આપણા જૈન સંઘોમાં ઠેર ઠેર હજારો ભોજપત્રીય-તાડપત્રીય અને અન્ય હસ્તપ્રતો છે. ઉપરાંત વિપુલ મુદ્રિત પ્રતો છે. આધુનિક ટેકનોલોજી દ્વારા એ સર્વનું પરસ્પર સંકલન થાય તો અનેકાનેક અલભ્ય પ્રતો-સાહિત્ય, સંશોધકોને-અભ્યાસીઓને ઉપલબ્ધ થાય. શ્રાવકયોગ્ય આ કાર્યનો નિર્દેશ આ ઠરાવ દ્વારા કરાયો છે.
...વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન ૩૯