________________
• ઠરાવ નં.૧૫ની સમજ લૌકિક સ્તરનાં સંગઠનો-સંસ્થાઓમાં પણ જો મર્યાદા-શિસ્તપાલન જરૂરી રહે છે, તો લોકોત્તર શ્રમણસંઘમાં મર્યાદા-શિસ્તપાલન અવશ્ય જરૂરી રહે જ. સાંપ્રત શ્રમણસંઘમાં પણ એ મર્યાદાપાલન ઉચ્ચત્તર છે. છતાં ક્યાંક ક્યાંક જોવા મળતી અશિસ્ત પણ અટકી જાય તે માટે આ ઠરાવ કરાયો છે.
- ઠરાવ નં.૧૬ની સમજ - પલટાતી જતી વ્યાપારવ્યવસ્થા-સમાજવ્યવસ્થાદિનાં કારણે ગામડાના જૈનો શહેરમાં સ્થાનાંતર કરે ત્યારે તે તે ગામડાનાં જિનાલયો-ધર્મસ્થાનોની સુરક્ષાના બહુ મોટા પ્રશ્નો સર્જાય છે. આવા જ પ્રશ્નો શહેરોમાં પણ જૂનો શહેરવિસ્તાર છોડીને ઉપનગરોમાં જૈન વસતિનું સ્થાનાંતર થાય ત્યારે સર્જાય છે. આ ઠરાવ દ્વારા, એ સમસ્યાનું મહદંશ નિવારણ થાય એવી સર્વાગીણ વિવિધ વિચારણાઓ શ્રમણસંમેલને કરી છે. શ્રાવકસંઘ એનો યથાર્થ અમલ કરે તો આ સમસ્યાનું નિરાકરણ ચોકકસ થઈ જાય.
| | ઠરાવ નં.૧૭ની સમજાઆપણાં પાંચ સૌથી મહાન તીર્થોમાં એક સ્થાન આબૂ ગિરિરાજનું છે. પરંતુ તો પણ શ્રી શત્રુંજયગિરિરાજ-ગિરનારગિરિ-સમેતશિખરગિરિની યાત્રાનો જે મહિમા છે તેવો મહિમા હજુ આબૂગિરિરાજનો નથી. તપાગચ્છીય પં. શ્રી જિનહર્ષગણિકૃત વસ્તુપાલચરિત્ર' ગ્રન્થના આઠમા પ્રસ્તાવમાં આ પંક્તિઓ છે કે:
"(१) अस्य शृश पुरा चक्रे, चक्रभृद्भरतेश्वरः । हैमचैत्यं चतुरिं, वचसा ઋષમપ્રમી: JI તથા (૨) અધિpi બિરેચ, પુનીતે મસમન્વત: પ્રપન્નપ્રતિમ: શ્રીમાન, વર્ધમાનો ગગળુઃ ||” આ પાઠ એ દર્શાવે છે કે ચક્રવર્તી ભરત મહારાજાએ આ તીર્થ પર ઋષભદેવ પ્રભુના ઉપદેશથી સુવર્ણચંત્ય રચાવ્યું હતું અને ભગવાન મહાવીરદેવે છઘસ્યકાળમાં અહીં સાધના કરી હતી. આ તીર્થની યાત્રાનો મહિમા જૈન સંઘમાં વધે તે માટે આ ઠરાવ દ્વારા સંમેલને ઉચિત માર્ગદર્શન આપ્યું છે.
ઠરાવ નં.૧૮ની સમજ અન્ય પરંપરાના ધર્મસ્થાનો-મંદિરોમાં એવી વ્યવસ્થા જોવા મળે છે કે ઈષ્ટ દેવોનું પૂજાકાર્ય એમના ભક્ત અનુયાયીઓ જ સંભાળે, એમાં જે ભક્તિ-બહુમાન હોય
૩૮ વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન...