________________
• ઠરાવ નં.30 | આપણા નિકટના પૂર્વમહાપુરુષોએ અથાગ પ્રયાસો દ્વારા સંઘમાંથી યતિઓનું જોર દૂર કરી સુવિહિત મોક્ષમાર્ગરૂપ સંવિગ્ન શ્રમણપક્ષને મજબૂત કર્યો છે. તેને હાનિ ન પહોંચે તે માટે યતિઓની દીક્ષા હવેથી કોઈએ આપવી નહિ. તેમની પ્રવૃત્તિને પણ પ્રોત્સાહન ન આપવું.
• ઠરાવ નં.૩૧ - જૈન” શબ્દ ખૂબ ગરિમાભર્યો છે. અભક્ષ્ય વાનગીઓ સાથે કે જેને સિદ્ધાંતોથી નિરપેક્ષ સંસ્થાઓ સાથે જ્યારે એ શબ્દ જોડાયેલ જોવાય છે. ત્યારે એની ગરિમાને હાનિ પહોંચતી હોય તેવું અનુભવાય છે. શક્તિસંપન્ન શ્રમણો-શ્રાવકોએ આ અંગે ઉચિત ઉપાયો કરવા.
• ઠરાવ નં.૩૨ .. આપણા અનેક જીર્ણ જિનાલયાદિ સ્થાનો સરકારના તાબામાં છે. એ જૈન સંઘને પરત મળે તે માટે કાયદાકીય માર્ગદર્શન મેળવવું. તે ખાતા સાથે સંબંધિત અધિકારી વર્ગનો સંપર્ક કરી માહિતીઅન્વેષણ-ઉપાયો પ્રાપ્ત કરવા અને જેઓ આ અંગે કરી છૂટે તેમ હોય તેવા પુણ્યાત્માઓને પ્રોત્સાહન આપવું.
• ઠરાવ નં.33 1. લગભગ દરેક સંઘોની પાઠશાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને અભ્યાસરુચિ આદિ ઘટતા દેખાય છે. એનું એક મહત્ત્વનું કારણ પુરાણી અભ્યાસપદ્ધતિ પણ છે. હાલમાં થોડા વર્ષોથી વિવિધ ગુરુભગવંતોની પ્રેરણાથી. અલગ અલગ સંસ્થાઓએ આ ક્ષેત્રે કાર્યરત થઈને આધુનિક અભ્યાસપદ્ધતિ અને ઈંગ્લીશ મીડીયમના જૈન બાળકો માટે ઈગ્લીશમાં ટીચીંગ આદિ દ્વારા સરસ પરિણામો મેળવ્યા છે. આ સંસ્થાઓની અભ્યાસપદ્ધતિઓનું એકીકરણ થાય અને સર્વત્ર એનો એકસરખો પ્રસાર થાય તે માટે આ વિષયના જાણકાર શ્રમણોની સમિતિ રચવી. વિદ્યાર્થીઓને મોટા ઈનામો અપાય તે માટે ફંડની વ્યવસ્થા કરવી. આ ઉપરાંત ચાતુર્માસિક પાઠશાળાઓ રૂપે ચાતુર્માસસ્થિત શ્રમણો દ્વારા શ્રાવકોને અભ્યાસ કરાવાય તેવી વ્યવસ્થા પણ કરવી.
- ઠરાવ નં.૩૪ - આપણા જૈન વિદ્યાર્થીઓ ઉત્તમ સંસ્કૃત-પ્રાકૃતવિષયક ગ્રન્થો અને શાસ્ત્રગ્રન્થો ભણીને પ્રતિભાવંત પંડિતરૂપે તૈયાર થઈ શકે તે માટે તેવી પ્રાચીન પાઠશાળા વગેરે
...વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન ૨૧