________________
૭૯
વિહાર કરી સૂર્યપુર તરફ જતા હતા. તેઓ આ ઉપવન પાસેથી પસાર · થતા થાક લાગવાથી એક વૃક્ષની છાયામાં જરા આરામ લેવા બેઠા હતા. ત્યાંજ રાજાના દોડધામ કરતા માણસોએ આ શાંતકીર્તિ મુનિરાજને જોયા. અને કદાચ આ મહાત્મા પણ કાંઈક ઉપચાર જાણતા હશે એમ ધારીને તેઓ પાસે ગયા અને નિવેદન કર્યું કે “કોઈ પવિત્ર મુનિરાજ આ ઉપવનની નજીકમાંજ એક ઝાડ નીચે વિસામો લેવા બેઠા છે. જો આપની રજા હોય તો બોલાવીએ, કદાચ તેઓ કંઈક ઉપચાર પણ જાણતા હશે.’’
રાજા તો આ સ્થિતિથી કંટાળ્યો હતો, એટલે તુરતજ રજા આપવાને બદલે પોતે જ તે માણસોની સાથે જ્યાં શાંતકીર્તિ મુનિ વિસામો લેવા બેઠા હતા ત્યાં પહોંચ્યો. અને નમસ્કાર કરી નીચે બેઠો. પછી પોતાને આવેલી મુશ્કેલી કહી સંભળાવી. મુનિરાજ તો આ અચાનક આ વી પડેલા પ્રસંગનો વિચાર કરી પરિણામે લાભ જાણી ત્યાંજ શાન્ત ચિત્તે ભક્તામર સ્તોત્રની ૨૪-૨૫ એ બે શ્લોકોનું સ્મરણ કરી અને એક લોટો પાણી બે શ્લોકોના મંત્ર વડે મંત્રી આપ્યો. (આ કાર્ય ગીતાર્થ મુનિને જ શોભે)
રાજાએ તે મંત્રેલું પાણી રાણીઓને છાંટ્યું તો વળગેલો પિશાચ ચીસ પાડી નાસી ગયો.
રાજા આ ચમત્કારથી એટલો બધો નવાઇ પામ્યો કે ત્યારથી તેણે જૈનધર્મ અંગીકાર કર્યો; અને શાંતકીર્તિ મુનિ પાસેથી ભક્તામર સ્તોત્રનો વિધિપૂર્વક અભ્યાસ કર્યો.
જે પ્રભુના સ્મરણથી મોહ જેવો ભયંકર વ્યંતર પણ નાસી જાય છે, તો પછી આ વળગાડ દૂર થાય તેમાં આશ્ચર્ય જ નથી. તમે એવું પ્રભુ સ્મરણ ક્યારે કરશો ?