SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ તેમ ન રહેવાથી તેઓ નજીકમાં રહેલી ચિંડિકા દેવીની ધર્મશાળામાંજ રાત્રી પસાર કરવા માટે રહ્યા. - નિત્ય કાર્યથી પરવારી તે મુનિ રાત્રીના સમયે ધ્યાનસ્થ રહ્યા. તેવામાં ચંડિકા દેવી પ્રગટ થઈ, અને પોતાની હદમાં આવા મુનિને જોઈ ક્રોધે ભરાઈ, તેમને ઉપસર્ગ કરવા લાગી. દેવ-દેવી ધારે તે કષ્ટ આપી શકે. - ઘડીમાં સિંહનું ભયંકર રૂપ ધારણ કરે છે, તો ઘડીમાં વાઘ થાય, વળી સર્પ થઈને મુનિની સામા ભયંકર ફૂંફાડા મારે, છે, પરંતુ મુનિ તો આનાથી જરાય ડગ્યા નહિ, અને ભક્તામર સ્તોત્રના ૨૩ મા શ્લોકનું ધ્યાન કરવા લાગ્યા. ત્યારે ક્રોધે ભરાયેલી ચંડિકા દેવી એકદમ તલવાર લઈને મુનિને મારવા દોડી. ત્યાં તો તેની તલવારના ઉંચે ઉંચેજ ટુકડા થઈ ગયા, અને તેજના અંબાર સરખી ચક્રેશ્વરી દેવી પ્રગટ થઈ. આ ભક્તામરનો સાક્ષાત પ્રભાવ. મુનિના મહાનું ગુણોનું વર્ણન કર્યું અને આવાં અપરાધથી કેવાં દુષ્ટ ફળ ભોગવવાં પડે છે તે શાન્ત શબ્દોમાં કહી બતાવ્યું. આથી ચિંડિકાદેવીને પોતાની ભૂલ સમજાઈ! ત્યારે મુનિની ક્ષમા માગી અને બોલી કે “હે મુનિરાજ! આપ જે આજ્ઞા ફરમાવો તે પ્રમાણે હું વર્તવાને તૈયાર છું” મુનિએ પણ સમય અનુકુળ જાણી કહ્યું “હે દેવી! જો તું તારું વચન પાળવાને તૈયાર હોય તો હું એટલું જ કહું છું કે, તારા નિમિત્તે થતી આ નિર્દોષ પ્રાણીઓની કતલ બંધ કરે અને તારા અજ્ઞાની ભક્તોને દુર્ગતિમાં પડતા બચાવ. દેવીને પણ આ ગયું અને ત્યારથી તેણે હિંસા બંધ કરાવી. પોતાના ભક્તોને પણ મુનિના ઉપદેશ પ્રમાણે વર્તવાની આજ્ઞા કરી.
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy