________________
–ામામનતિ મુનિયઃ પરમં પુમાંસ, માદિત્યવર્ણમમલ, તમસ: પરસ્તાત ત્વમેવ સમ્યગુપલભ્ય, જયંતિ મૃત્યુ નાન્યઃ શિવઃ શિવપદસ્ય મનીન્દ્ર પત્થા: ૨૩ //
અર્થ-હે મુનીન્દ્ર ! મુનિઓ આપને શ્રેષ્ઠ મનુષ્ય માને છે અને અંધકારની સમીપ સૂર્યની સમાન કાંતિવાળા અને નિર્મળ એવા આપને જાણવા પણ તે મૃત્યુને જીતે છે. વળી આપના સિવાય ઉપદ્રવ રહિત મોક્ષનો બીજો કોઈ માર્ગ નથી.
: - ગૉ નો માણીવિવાળ | मंत्र : ॐ नमो भगवात जयवति परम समीहितार्थ मोक्ष- सौरव्यं कुरु . ગુરુ સ્વાહા /
આ ત્રેવીસમા કાવ્ય મંત્રને જપવાથી શરીરની રક્ષા થાય છે. તેમજ વળગાડ વિગેરે વિગેરે ઉપદ્રવ થતો નથી.
બ્લોક ૨૩ માનો પ્રભાવ બતાવનારી કથા. ઉજ્જયિની નગરીના પૂર્વ ભાગમાં બે માઈલ દૂર એક ચંડિકા દેવીનું સ્થાનક આવેલું છે. ત્યાં ઘણાં હલકા માણસો પોતાની ઈચ્છાને સંતોષવા માટે દેવીના નામે અનેક પશુઓનો વધ કરે છે. મંદિરની આસપાસ નાની ધર્મશાળા છે. વચમાં ચોગાનમાં મંદિર પાસે મરી ગયેલા પશુઓનાં હાડકાં, લોહી, અને ચામડાં ચારે તરફ ગંધાય છે. તેથી તે જગ્યા બહુજ બીહામણી અને ભયંકર લાગે છે.
એક વખત કોઈ જૈન મુનિરાજ પોતાના બે ત્રણ શિષ્યો સહિત ઉજ્જયિની તરફ આવવા નીકળ્યા, પરંતુ બે માઈલને છે. દિવસ અસ્ત થવાની તૈયારી થવાથી અને બીજી કોઈ જગ્યાએ તે સમયે પહોંચી શકાય