________________
૬૪
શ્લોક ૧૯ મા ના પ્રભાવ બતાવનારી કાજ
આ ભરતક્ષેત્રમાં વિશાળા નામે એક નગરી હતી. તેમાં લક્ષ્મીકાન્ત નામે એક શેઠ રહેતો હતો. તે બહુ જ ધનવાન અને પરોપકારી હતો. વળી જૈનધર્મી હોવાથી પોતાના ગુરૂ પાસેથી વિધિસર ભક્તામર સ્તોત્ર શીખ્યો હતો. વ્યાપારના અનેક કામો હોવા છતાં પણ તે નિરંતર પ્રભાતે એક સામાયિક કરી હાઈ-ધોઈ પવિત્ર થઈ ગૂરૂએ બતાવ્યા પ્રમાણે ભક્તામર સ્તોત્ર ભણતો હતો.
શ્રદ્ધાની પણ કસોટી હોય છે. તેમ આ લક્ષ્મીકાન્ત શેઠની વિધિસરની આરાધનામાં ભંગાણ પાડવા એક વખત એક દેવ આવ્યા અને શેઠના ગુમાસ્તાનું રૂપ ધારણ કરી શેઠના પૂજાના ઓરડામાં દાખલ થઈ ગભરાયેલા અવાજે કહ્યું “શેઠ! શેઠ? દોડો!!.દોડો! ! આપણી દુકાનમાં મોટી આગ લાગી છે અને લાખો રૂપિયાનો કિંમતી માલ સળગી રહ્યો છે.”
શેઠ તો આ અવાજથી પ્રથમ ચમક્યા, પરંતુ તેમના હૃદય ઉપર કાંઈ અસર થઈ નહિ. તે તો પોતાના ધ્યાનમાં ફરી લીન થયા. ભક્તની કસોટી તો થાય!
દેવ પોતાના દાવમાં નિષ્ફળ જવાથી તેણે ફરી બીજી યુક્તિ અજમાવી અને બહાર જઈ થોડીવાર પછી બીજા ગુમાસ્તાનું રૂપ ધારણ કરી એકદમ શેઠની પાસે ગયો અને ઉતાવળથી ગભરાતાં ગભરાતાં બોલ્યો “શેઠ! ઉઠો !! ઉઠો!! ત્રીજા માળની બારીઓથી અચાનક પડી જવાથી આપનો પુત્ર એકદમ બેભાન થઈ ગયેલ છે. બધા માણસો એકઠા થઈ ગયા છે અને તમને એકદમ બોલાવે છે.”
શેઠ તો સાંભળ્યું ન સાંભળ્યું કરી, ફરી પાછા પોતાના ધ્યાનમાં જોડાયા. આ જોઈને દેવ બહુજ પ્રસન્ન થયો અને પ્રત્યક્ષ થઈ શેઠનાં