________________
૬૦
આ ભયંકર દુઃખમાંથી છોડવા આજીજી કરવા લાગ્યો. તમે મને જો એકવાર છોડો તો ફરીને આવું કામ નહિ કરું એમવિનંતિ કરવા લાગ્યો. તેવામાં તેની બેભાન અવસ્થા ચાલી ગઈ અને તે જાગ્રત થયો.
જાગીને જુએ છે તો તેની આસપાસ તેના મિત્રો સારવાર કરતા બેઠા છે, અને મુનિરાજ તો ધ્યાન મગ્ન છે.
પ્રથમ તો રાજકુમાર ચક્તિ થઈ ગયો. તેણે સ્વપ્ન અવસ્થામાં જોયેલા નારકીના ભયંકર દુઃખો તેની નજર સામે તરવા લાગ્યા. પોતે ભોગવેલી સ્થિતિ તથા કરેલો નિશ્ચય યાદ આવવા લાગ્યો.
મુનિ મહારાજનું ધ્યાન પૂર્ણ થતાં રાજકુમાર મુનિના ચરણમાં ઢળી પડ્યો. મુનિએ પણ યોગ્ય શબ્દોમાં ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. હવે રાજકુમારને ધર્મ ઉપર આસ્થા બેઠી. પોતાની ભૂલ સુધારવા માટે મુનિનો ઉપકાર માની તેમને ગુરુપદે સ્થાપી પોતાને સ્થાનકે ગયો. રાજા તથા રૈયત સર્વે આ હકીકત સાંભળી બહુ આનંદ પામ્યા. અને તે પવિત્ર મુનિરાજના કહેવા પ્રમાણે પવિત્ર જીવન ગાળી સુખી થયા.
. જો પ્રભુના સ્મરણથી સમર્થ દેવો પણ વશ થાય છે તો પછી મનુષ્ય વશ થાય તેમાં નવાઈ શી? માટે તમે પણ ધર્મ ઉપરની શ્રદ્ધા વિશેષ ખીલવશો, તો તમારું જીવન પણ સુખી બનશે. અને પવિત્ર બનશે. નિત્યોદય દલિત મોહમહધકાર; ગમ્ય રાહુવદનસ્ય ન વારિદાનામુ; વિભાજતે તવ મુખાક્બમનલ્પકાન્તિ, વિદ્યોતયજજગદપૂર્વશશાંકબિંબમ્ ! ૧૮ |
અર્થ-જે ઉદય રૂપ છે, જેણે મોહરૂપી અંધકારનો નાશ કરી નાખ્યો છે, જેને રાહુ કદી કદી ગ્રહી શકતો નથી, જેને મેઘ પણ ઘેરી શકતો નથી. એવું આપનું મુખ કમળ આ જગતને વિષે અપૂર્વ ચન્દ્ર